લખીમપુર હિંસાઃ ફોરેન્સિક રિપોર્ટમાં થયો ખુલાસો, કેન્દ્રીય મંત્રીના પુત્રની ગનમાંથી થયુ હતુ ફાયરિંગ

નવી દિલ્હી, તા. 9. નવેમ્બર, 2021 મંગળવાર
લખીમપુર હિંસાના મામલામાં ફોરેન્સિક લેબની તપાસમાં ફાયરિંગ થયુ છે તે વાતને સમર્થન મળ્યુ છે.
ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે આ ઘટના દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રા અને તેના નજીકના સાથીદાર અંકિત દાસની લાઈસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરાયુ હતુ.
ઉલ્લેખનીય છે કે, આ હિંસા દરમિયાન ખેડૂતોને જીપ હેઠળ કચડવામાં આવ્યા હતા અને સાથે સાથે ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે ,ભાજપના નેતાઓ દ્વારા ફાયરિંગ કરાયુ હતુ.
તેની તપાસ માટે લખીમપુર પોલીસે અંકિત દાસની રિપિટર ગન, પિસ્ટલ અને આશીષ મિશ્રાની રાઈફલ અને રિવાલ્વરને જપ્ત કરીને તેનો ફોરેન્સિંક રિપોર્ટ મંગાવ્યો હતો.જેમાં હવે ફાયરિંગ થયુ હોવાની વાતને સમર્થન મળ્યુ છે.જોકે આશીષ મિશ્રા પાસેની રિવોલ્વર કે રાયફલમાં એમ બે માંથી કયા પ્રકારની ગનમાંથી ફાયરિંગ થયુ હતુ તે હજી સ્પષ્ટ થયુ નથી.
હાલમાં જેલમાં બંધ આશીષ મિશ્રા અને તેના સાગરીત અંકિત દાસની મુશ્કેલી આ રિપોર્ટના કારણે વધી શકે છે.
લખીમપુરમાં તાજેતરમાં ખેડૂતોએ કાઢેલી રેલી વખતે હિંસા થઈ હતી.જીપ નીચે ખેડૂતોને કચડવામાં આવ્યા બાદ ચાર ખેડૂતો અને એક પત્રકારનુ સ્થળ પર મોત થયુ હતુ અને એ પછી ખેડૂતોએ ત્રણ કાર્યકરોને મારી નાંખ્યા હતા.
આશીષ મિશ્રાની હાજરીમાં જ જીપ દ્વારા ખેડૂતોને કચડવામાં આવ્યા હતા તેવો આરોપ પણ લાગ્યો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3khNjjW
via IFTTT
ટિપ્પણીઓ નથી: