ભારતમાં ઘરે ઘરે જઈને કોરોનાની રસી આપવાના અભિયાનનો પ્રારંભ થઈ ગયો

નવી દિલ્હી, તા. 5. નવેમ્બર 2021 શુક્રવાર
ભારતમાં ઘરે ઘરે જઈને વેક્સીન લગાવવાનુ શરુ કરી દેવાયુ છે.કોરોના સામેની લડાઈમાં તેજી લાવવા માટે સરકારે વેક્સીનેશનનો વ્યાપ વધારવા માટે પ્રયત્નો શરુ કર્યા છે અને આ અભિયાન તેનો જ એક ભાગ છે.
તાજેરતમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, રસીકરણનો વ્યાપ વધારવા માટે હવે ડોર ટુ ડોર કેમ્પેન પર ફોકસ કરવાની અને રસીનો બીજો ડોઝ લોકોને મળે તેના પર ધ્યાન આપવાની જરુર છે.આ માટે દરેક જિલ્લા સ્તરે પણ ટીમો બનાવવી જોઈએ અને જે ટીમ વધારે વેક્સીનેશન કરે તેનુ નામ જાહેર કરવામાં આવવુ જોઈએ.
દરમિયાન 2 નવેમ્બરથી ડોર ટુ ડોર વેક્સીનેશનની શરુઆત થઈ ગઈ છે અને રોજ દેશમાં હજારો લોકોને ઘરે જઈને રસી અપાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પીએમ મોદીએ વિવિધ રાજ્યો સાથે યોજેલી બેઠકમાં રાજ્યોએ માંગ કરી હતી કે, ડોર ટુ ડોર વેક્સીનેશન શરુ કરવામાં આવે.ખાસ કરીને એવા લોકો માટે જે રસીકરણ કેન્દ્ર સુધી પહોંચી શકે તેમ નથી.તેના પર વિચાર કરીને કેન્દ્ર સરકારે ડોર ટુ ડોર વેક્સીનને લીલી ઝંડી આપી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bGZjqP
via IFTTT
ટિપ્પણીઓ નથી: