પીએમ મોદી યુપીના સીએમ યોગીના ખભે હાથ મુકીને ચાલતા નજરે પડયા, યોગીએ તસવીર સાથે શેર કરી આ કવિતા

નવી દિલ્હી,તા.21.નવેમ્બર.2021
પીએમ મોદીએ નવા કૃષિ કાયદા પાછા ખેંચી લીધા છે અને તેની પાછળનુ એક કારણ આવનારા દિવસોમાં યુપીમાં યોજાનારી ચૂંટણી હોવાનુ પણ કહેવાઈ રહ્યુ છે.
દરમિયાન આજે યુપીમાં યોજાઈ રહેલી ડીજીપી કોન્ફરન્સના ત્રીજા દિવસે પીએમ મોદી યુપીના સીએમ યોગી આદિત્યનાથના ખભે હાથ મુકીને તેમની સાથે વાતચીત કરતા નજરે પડ્યા હતા.બહુ ઓછુ જોવા મળ્યુ છે કે, કોઈ સીએમના ખભે હાથ મુકીને પીએમ મોદી ચાલતા ચાલતા વાત કરતા હોય .
દરમિયાન ખુદ સીએમ યોગીએ આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને સાથે સાથે એક કવિતા ટાંકી છે કે,
હમ નિકલ પડે હૈ પ્રણ કરકે..અપના તન-મન અર્પણ કરકે...
જિદ હૈ એક સૂર્ય ઉગાના હૈ..અમ્બર સે ઉંચા જાના હૈ..એક ભારત નયા બનાના હૈ..
हम निकल पड़े हैं प्रण करके
— Yogi Adityanath (@myogiadityanath) November 21, 2021
अपना तन-मन अर्पण करके
जिद है एक सूर्य उगाना है
अम्बर से ऊँचा जाना है
एक भारत नया बनाना है pic.twitter.com/0uH4JDdPJE
આજે સવારે પીએમ મોદી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ડીજીપી હેડ ક્વાર્ટર પહોંચ્યા હતા.જ્યાં ગૃહ મંત્રી અમિત શાહ અને બીજા અધિકારીઓએ તેમનુ સ્વાગત કર્યુ હતુ.એ પછી અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા શરુ થઈ હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r4LdIm
via IFTTT
ટિપ્પણીઓ નથી: