દિલ્હીઃ ચાંદની ચોકના લાજપત રાય માર્કેટમાં આગ હોનારત, 58 દુકાનો બળીને રાખ, કરોડોનું નુકસાન


- આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું

નવી દિલ્હી, તા. 06 જાન્યુઆરી, 2022, ગુરૂવાર

દિલ્હીમાં ગુરૂવારે વહેલી સવારે ચાંદની ચોકના લાજપત રાય માર્કેટમાં આગ લાગી હતી. આગ હોનારત અંગેની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આશરે 3 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. 

કરોડો રૂપિયાનું નુકસાન

લાજપત રાય માર્કેટમાં આગ લાગવાના કારણે 58 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. જાણવા મળ્યા મુજબ આ હોનારતમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું. 

દિલ્હી ફાયર સર્વિસના કહેવા પ્રમાણે લાજપત રાય માર્કેટમાં આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સામે નથી આવી અને આગ બુઝાવવા માટે 13 ગાડીઓ મોકલવામાં આવી હતી. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31taykW
via IFTTT

ટિપ્પણીઓ નથી: