લેભાગુ રાજકીય પક્ષોનું રૂ. 4000 કરોડનું કૌભાંડ

- 23 રાજકીય પક્ષોએ 'બોગસ ડોનેશન' લીધાનો ITના દરોડામાં ઘટસ્ફોટ
- પચાસથી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંડોવણી હોવાનું પકડાયું : ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાને 28 સી.એ. વિરુદ્ધ ગયા વર્ષે ફરિયાદ કરવા છતાં છાવરવાનું કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ
- ડૉક્ટર, વકીલ સહિતના પ્રોફેશનલ્સ અને દસ વીસ લાખના પગારદારો સહિતનાની પણ ડોનેશનની પાવતી લઈને ટેક્સ ચોરીમાં સંડોવણી
- ખાનગી અને જાહેર ક્ષેત્ર તેમજ સહકારી બેન્કના અધિકારીઓએ યોગ્ય કેવાયસી વિના ખાતા ખોલી મદદ કરી
અમદાવાદ : રજિસ્ટર્ડ અનરેકગ્નાઈઝ પોલિટિકલ પાર્ટિઓના બોગસ ડોનેશનના કૌભાંડમાં ૨૩ જેટલા પક્ષોના ત્રણ જ વર્ષના ટૂંકા ગાળામાં રૂા. ૪૦૦૦ કરોડના બોગસ ડોનેશનની વિગતો બહાર આવી છે. તેમાંથી અપના દેશ પાર્ટી, લોહશાહી સત્તા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય પાર્ટીઓ અનુક્રમે રૂા.૭૦૦ કરોડ, ૬૦૦ કરોડ અને ૬૦૦ કરોડથી બોગસ ડોનેશનના વહેવારો કર્યા હોવાનું પકડી પાડવામાં સફળતા મળી છે. નવાઈની વાત તો એ છે કે ૨૦૨૧ના દરોડા દરમિયાન આવકવેરાના દરોડામાં આવેલી આ પ્રકારની કેટલાક પાર્ટીઓ ૨૦૨૨માં ફરીથી નવા નામ સાથે સક્રિય થઈ ગઈ હોવાનું પણ આવકવેરાના દરોડા પાડનારા અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે. તદુપરાંત ૫૦થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની બોગસ ડોનેશનના કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ડોનેશન માટે આવકવેરા ધારાની કલમ ૮૦ જીજીબી અને કલમ ૮૦ જીજીસીની જોગવાઈનો દુરુપયોગ કરીને રૂા. ૪૦૦૦ કરોડથી વધુનું ડોનેશન મેળવીને કમિશન કાપીને રોકડેથી તે જ નાણાં દાતાઓને પરત કરી દઈને આવકવેરાની મોટી ચોરી કરવામાં મદદગારી કરી હોવાનું બહાર આવ્યું હોવાનું આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે. આ સાથે જ દરોડાની કાર્યવાહી લગભગ પૂરી થવાને આરે આવી પહોંચી હોવાનું આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે ડૉક્ટર્સ, વકીલ જેવા પ્રોફેશનલ્સ અને રૂા. ૧૦-૨૦ લાખના પગારદરો સહિત ૭૫ લાખથી એક કરોડનો પગાર ધરાવનારાઓ પણ બોગસ ડોનેશનના કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.
આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે કે બોગસ ડોનેશનના કૌભાંડમાં ગુજરાતમાં ૨૩ જેટલા નાના મોટા રાજકીય પક્ષોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. આ પોલીિટિકલ પાર્ટી શરૂ કરનારાઓમાં ઘડિયાળની દુકાન ચલાવનારા અને રિક્ષા ચાલકો હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. એક જ વ્યક્તિએ બે અલગ અલગ નામથી રાજકીય પક્ષો બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. આ રાજકીય પક્ષોની ઓફિસ બહુધા અમદાવાદ શહેર અને તેની પરિસરના વિસ્તારોમાં જ હોવાનું જોવા મળ્યું છે. માત્ર ૩થી ૪ રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદથી દૂર સુરત, રાજકોટ અને પોરબંદર જેવા વિસ્તારોમાં હોવાનું બહાર આવ્યું છે. મુંબઈની પણ બે પોલિટિકલ પાર્ટી સરદાર વલ્લભભાઈ પાર્ટી અને જનદાર વાદી કોન્ગ્રેસ પાર્ટીએ પણ બોગેસ ડોનેશનનાા કૌભાંડ આચરીને સરકારની તિજોરોને અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડયું છે. રાજકીય પક્ષોની માફક ચેરિટેબલ ઓર્ગેનાઈઝેશન ઊભા કરીને પણ બોગસ ડોનેશનનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેક વર્ષ પહેલા આઈસીએઆઈને સંબોધન કરતી વખતે આ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ચેતવણી આપી હોવા છતાંય આજે પણ તેઓ બોગસ ડોનેશનનું કૌભાંડ આચરનારાઓને મદદ કરવાનું કામ કરી રહ્યા છે.
આ કૌભાંડમાં અૂરતા કે.વાય.સી. લઈને બ્લેકના વ્હાઈટ અને વ્હાઈટના બ્લેક કરનારાઓને ખાતા ખોલી આપવામાં ખાનગી, રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅન્કોની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. પહેલા ડોનેશન લઈને એટીએમથી પૈસા ઉપાડીને પરત કરી દેવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું. તેથી પકડાઈ જતાં હતા. ત્યારબાદ તેમણે નાણાંનો ઉપોડ કર્યા વિના જ કમિશન ઉપરાંતની રકમ પરત કરી દેવાની મોડસ ઓપરેન્ડિ વિકસાવી હોવાનું આવકવેરા ખાતાના અધિકારીોના ધ્યાનમાં આવ્યું છે. ભૂતકાળમાં પૈસાનો રોકડથી ઉપાડ કરવા માટે કૃષિ ઉત્પન્ન બજાર સમિતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ વખતે આ મોડસ ઓપરેન્ડિને ત્યાજીને તેમણે રોકડનો ઉપાડ જ અટકાવી દઈ નાણાં પરત કરવાની વ્યવસ્થા કરી હતી. તેમાં ચેક આપી રોકડા લેનારાઓ અને રોકડા આપી ચેક લેનારા બંનેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નાણાંના ખર્ચ પેટે માત્ર બોગસ બિલ જ બતાવી દેવામાં આવતા હતા.
કાગળ પરના પક્ષો રોકડ આપનારને ચેક ને ચેક આપનારને રોકડ આપતા હતા
- ડોનેશનના કૌભાંડીઓ ૫થી 20 ટકા કમિશન કાપી લેવડ-દેવડ કરતા હતા
રજિસ્ટર્ડ અનરેકગ્નાઈઝ પોલિટિકલ પાર્ટીઓના બોગસ ડોનેશન કૌભાંડમાં કહેવાતા દાતાઓ પાસેથી એક કરોડનો ચેક લઈન પાંચથી પંદર ટકા કમિશન કાપી લઈને બાકી રકમ રોકડેથી પરત કરીને કૌભાંડ આચર્યું છે. આ જ રીતે રોકડેથી લઈને ચેક આપવાનું કૌભાંડ તેમણે આચર્યું છે.
રજિસ્ટર્ડ અનરેકગ્નાઈઝ પોલિટિકલ પાર્ટીઓએ ચેકથી નાણાં આપનારાઓને કમિશન કાપી લઈને રોકડા પરત કર્યાહોવાનું અને રોકડે નાણાં આપનારાઓને કમિશન કાપીને ચેક પણ આપ્યા હોવાનું બહાર આવ્યું છે. બનાવટી ડૌનેશનના કૌભાંડનો મોટી મોટી કંપનીઓએ પણ લાભ લીધો હોવાનું બહાર આવ્યું છે. મોટા રાજકીય પક્ષોેને પણ પણ ન મળેત ેટલું રૂા. ૪૦૦૦ કરોડનું ડોનેશન મળ્યું છે. આ રીતે ગુજરાતમાં કંપનીઓને મની લૉન્ડરિંગ કરવામાં રાજકીય પક્ષો મોટો સાથ આપી રહ્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5j6so1A
via IFTTT
ટિપ્પણીઓ નથી: