ગુજરાતમાં 32 કેસ, એક દર્દીનું મોત, રિકવરી રેટ 98.68 ટકા
ગાંધીનગર, 12 જુલાઇ 2021 સોમવાર
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે, રાજ્યમાં આજે કોરોનાનાં માત્ર 32 કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં આજે 161 લોકોએ કોરોનાને હરાવ્યો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 801 છે. જે પૈકી 07 દર્દી વેન્ટીલેટર પર છે.
રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10074 પર પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 8,13,399 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 931 એક્ટિવ કેસ છે, જેમાંથી 7 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 794 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં રિકવરી રેટ 98.68 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 3, ભરૂચ 2, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા 2, અમરેલી 1, છોટા ઉદેપુર 1, દાહોદ 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, મહેસાણા 1, સુરત 1, વડોદરા કોર્પોરેશન 1, વલસાડ 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 171 લોકોને પ્રથમ ડોઝ અને 10277 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 42235 લોકોને પ્રથમ અને 69589 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 1,26,017 લોકોને રસીનો પ્રથમ અને 6470 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AUeJ6a
via IFTTT
ટિપ્પણીઓ નથી: