ગુજરાતમાં આજે 38 નવા કેસ, એક પણ દર્દીનું મોત નહીં, કુલ મૃત્યુઆંક 10,074

ગાંધીનગર, 15 જુલાઇ 2021 ગુરૂવાર

ગુજરાતમાં કોરોના વાયરસનાં 38 નવા કેસ નોંધાયા છે જ્યારે એક પણ દર્દીનું મોત થયું નથી. કુલ મૃત્યુઆંક હવે 10,074 એ પહોંચ્યો છે. આજે 90 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલ 637 એક્ટિવ કેસ છે જ્યારે 8 દર્દી વેન્ટિલેટર પર છે. 629 દર્દીની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,13,673 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે અને રિકવરી રેટ 98.70% છે.  

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે સુરતમાં સૌથી વધુ 9, અમદાવાદમાં 6, રાજકોટમાં 4, વડોદરામાં 3, ગીર સોમનાથમાં 2, નવસારીમાં 2, રાજકોટમાં 2 તથા આણંદ, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, મહીસાગર, સાબરકાંઠા અને વલસાડમાં 1-1 નવા કેસનો સમાવેશ થાય છે.

આજે રાજ્યના તમામ જિલ્લામાં સતત ચોથા દિવસે 10થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20 થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમાં અમરેલી, અરવલ્લી, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જામનગર, ખેડા, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરાનો સમાવેશ થાય છે.

રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3,86,712 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,87,54,257 થયો છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yWNgio
via IFTTT

ટિપ્પણીઓ નથી: