હિન્દુ હોય કે મુસ્લિમ, લગ્નના નામે મહિલાની છેતરપિંડી સરકાર નહીં ચલાવી લેઃ આસામના મુખ્યમંત્રી

નવી દિલ્હી,તા.11.જુલાઈ.2021
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ પણ રાજ્યમાં લવ જેહાદનો કાયદો લાવવાનુ એલાન કર્યુ છે.
જોકે તેમણે કહ્યુ છે કે, આ કાયદો હિન્દુ અને મુસ્લિમ એમ બંને માટે લાગુ થશે.જેના ભાગરુપે જો કોઈ હિન્દુ યુવક કોઈ હિન્દુ યુવતી સાથે જુઠ્ઠુ બોલીને લગ્ન કરશે તો તેને પણ જેહાદ જ ગણવામાં આવશે.કોઈ પુરુષ કોઈ પણ મહિલા સાથે લગ્નના નામે ચિટિંગ કરશે તો તે સરકાર ચલાવી નહીં લે.એ પછી કોઈ હિન્દુ હોય કે મુસ્લિમ.
ઉલ્લેખનીય છે કે, ભાજપે ચૂંટણી પહેલા જ જાહેરાત કરી હતી કે, આસામમાં જો અમારી સરકાર બની તો લવ જેહાદ સામે નવો કાયદો લાવવામાં આવશે.મુખ્યમંત્રી હેમંત સરમાએ કહ્યુ હતુ કે, અમે લવ જેહાદ શબ્દનો ઉપયોગ કરવા નથી માંગતા.કારણકે અમને લાગે છે કે, એક હિન્દુ પણ બીજા હિન્દુને છેતરી શકે છે અને આ પણ એક જેહાદ છે.અમે લગ્નના નામે થતા ચિટિંગ સામે કાયદો લાવવા માંગીએ છે.આસામ સરકારનો કાયદો મુસ્લિમ વિરોધી નહીં હોય.
સૌથી પહેલા આસામ સરકાર ગાયના સંરક્ષણ માટે કાયદો લાવશે.એ પછી અમે બે બાળકો અંગેના કાયદાને પસાર કરીશું અને તેના પછી લવ જેહાદ સામેનો કાદલો લાવીશું.
ઉલ્લેખનીય છે કે, ભાજપ સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ કહ્યુ હતુ કે, અમે આસામની સભ્યતાનુ સરક્ષમ કરવા માટે લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે કાયદો લાવીશું.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hZCiBY
via IFTTT
ટિપ્પણીઓ નથી: