લોકસભામાં કોંગ્રેસના નેતા તરીકે અધીર રંજન ચૌધરી, ચોમાસુ સત્ર પહેલા કોંગ્રેસ એક્શનમાં

નવી દિલ્હી,તા.18 જુલાઈ 2021,રવિવાર
સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસ પાર્ટી એક્શનમાં આવી છે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સાંસદ અધીર રંજન ચૌધરીને લોકસભામાં પાર્ટીના નેતા બનાવ્યા છે. જ્યારે ગૌરવ ગૌગોઈને તેમના ડેપ્યુટી તરીકે મુકવામાં આવ્યા છે.કે. સુરેશ પાર્ટીના ચીફ વ્હીપ હશે તથા રવનીત સિંહ બિટ્ટુ, મનિકમ યાગોર લોકસભામાં પાર્ટીના વ્હિપ તરીકે ફરજ બજાવશે.
રાજ્ય સભામાં પાર્ટીના નેતા તરીકે મલ્લિકાર્જુન ખડગેને નિમવામાં આવ્યા છે. આનંદ શર્માને તેમના ડેપ્યુટી બનાવાયા છે. પાર્ટીએ અંબિકા સોની, પી .ચિદરમ્બમ, દિગ્વજિય સિંહ તથા કે સી વેણુગોપાલ સાથે જયરામ રમેશને રાજ્ય સભામાં ચીફ વ્હિપની જવાબદારી આપી છે.
સંસદને લગતા મુદ્દાઓની ચર્ચા કરવા માટે જરૂર પડે તો આ તમામ ગ્રૂપની સંયુક્ત બેઠકો પણ બોલાવવામાં આવશે. જેના કો ઓર્ડિનેટર મલ્લિકાર્જુન ખડગે રહેશે.
ઉલ્લેખનીય છે કે, સંસદનુ ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યુ છે. આ પહેલા વિપક્ષી નેતાઓની રવિવારે બેઠક યોજાશે. સંસદમાં ખેડૂત આંદોલન, સરકારી સંપત્તિઓનુ પ્રાઈવેટાઈશેઝન જેવા મુદ્દાઓ હાવી રહે તેમ લાગી રહ્યુ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hJOCHA
via IFTTT
ટિપ્પણીઓ નથી: