દિલિપ કુમારનો પાર્થિવ દેહ તેમના ઘરે લવાયો, સાંજે પાંચ વાગ્યે અંતિમ વિધિ


નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021

દિગ્ગજ અભિનેતા દિલિપ કુમારે 98 વર્ષની વયે આખરી શ્વાસ લીધા છે.બુધવારે સવારે 7-30 વાગ્યે દિલિપ કુમારનુ નિધન થયુ હતુ .

તેઓ લાંબા સમયથી બીમાર હતા.છેલ્લા એક મહિનામાં તેમને બે વખત હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા.મળતી વિગતો પ્રમાણે સાંજે પાંચ વાગ્યે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.હોસ્પિટલમાંથી તેમના પાર્થિવ દેહને તેમના ઘરે લાવવામાં આવ્યો છે.જ્યાં બોલીવૂડના દિગ્ગજ અભિનેતાઓ તેમને વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે.

હોસ્પિટલમાંથી તેમના પાર્થિવ દેહને ઘરે લઈ જતી વખતની એક તસવીર પણ સામે આવી છે.જેમાં તેમના પત્ની સાયરાબાનુ સહિતના પરિવારના નજીકના લોકો દેખાઈ રહ્યા છે.બોલીવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન  પણ દિલિપ કુમારની  અંતિમ યાત્રામાં જોડાય તેવી શક્યતા છે.

હાલમાં શબાના આઝમી સહિતના સ્ટાર્સ તેમના ઘરે પહોંચ્યા છે.બીજા બોલીવૂડ સ્ટાર્સ પણ તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડે તેવી શક્યતાઓ છે.

દિલિપ કુમારના ઘરની બહાર ચાહકોની પણ ભીડ જોવા મળી રહી છે.તકેદારીના ભાગરુપે મુંબઈ પોલીસનો મોટો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dSTgRs
via IFTTT

ટિપ્પણીઓ નથી: