પંજાબ કોંગ્રેસમાં ખેંચતાણનો અંત નહીં, સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે ચેક-મેટનો ખેલ

- સિદ્ધુને શુભેચ્છા આપતા પોસ્ટર્સ લગાવી દેવાયા જેમાં કેપ્ટન અમરિંદર સિંહની તસવીર ગાયબ
નવી દિલ્હી, તા. 17 જુલાઈ, 2021, શનિવાર
નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાને લઈ પાર્ટી હજુ પત્તા નથી ખોલી રહી. તે પહેલા જ લુધિયાણા ખાતે નવજોત સિંહ સિદ્ધુના ઘરે ઉજવણીનો માહોલ છે. સિદ્ધુના સમર્થકો મીઠાઈઓ વહેંચી રહ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે. જોકે હજુ સુધી સિદ્ધુને લઈ કોઈ જાહેરાત નથી કરવામાં આવી.
આ બધા વચ્ચે સિદ્ધુને શુભેચ્છા આપતા પોસ્ટર્સ પણ લગાવી દેવાયા છે. જોકે તેમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની તસવીર ગાયબ છે. ચંદીગઢ ખાતે કોંગ્રેસ કાર્યાલયની બહાર પણ સિદ્ધુના સમર્થકો ઉજવણી માટે પહોંચી ગયા છે અને ત્યાં ઢોલ નગારા સાથે જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
પંજાબ, યુપી સહિત અનેક રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. યુપીમાં એક તરફ પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓ કરવામાં લાગેલી છે તો પંજાબમાં કોંગ્રેસની ખેંચતાણ ખતમ થવાનું નામ જ નથી લઈ રહી. નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે ચેક અને મેટનો ખેલ ચાલી રહ્યો છે. મીટિંગોનો દોર ફરી ચાલુ થઈ ગયો છે અને સુલેહના તમામ ફોર્મ્યુલા ફેલ થતા જણાઈ રહ્યા છે.
હરીશ રાવતે લીધો યુ ટર્ન
3 દિવસ પહેલા કોંગ્રેસી નેતા હરીશ રાવતે પંજાબમાંથી સારા સમાચાર મળશે તેમ જણાવ્યું હતું અને તેમણે સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાના સંકેત આપ્યા હતા. આ સંકેત મળતા જ કેપ્ટન અમરિંદર સિંહના સમર્થકો ભડક્યા હતા અને બાદમાં હરીશ રાવત અને સોનિયા ગાંધીની મુલાકાત થઈ હતી. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષને મળ્યા બાદ હરીશ રાવતે ફરી એક વખત યુ ટર્ન લીધો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3z8ROTa
via IFTTT
ટિપ્પણીઓ નથી: