કોંગ્રેસી સાંસદ રિપુન બોરાએ PM મોદીને લખ્યો પત્ર, કેન્દ્રીય મંત્રી નિસિથ પ્રામાણિકની નાગરિકતા તપાસવા કરી માગ

- પ્રામાણિકનો જન્મ બાંગ્લાદેશના ગૈબાંધા જિલ્લાના પલાસબારી પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલા હરિનાથપુર ખાતે થયો હોવાનો દાવો
નવી દિલ્હી, તા. 18 જુલાઈ, 2021, રવિવાર
રાજ્યસભાના સાંસદ અને આસામ કોંગ્રેસના અધ્યક્ષ રિપુન બોરાએ કેન્દ્રીય મંત્રી નિસિથ પ્રામાણિકની નાગરિકતાની તપાસ કરવા માગ કરી છે. રિપુન બોરાએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પ્રામાણિક બાંગ્લાદેશી નાગરિક હોવાનો દાવો કર્યો હતો. બોરાએ પત્રમાં લખ્યું હતું કે, 'હું તમારા પાસે નિસિથ પ્રામાણિકના વાસ્તવિક જન્મસ્થાન અને નાગરિકતા અંગે પારદર્શી રીતે તપાસ કરીને સંપૂર્ણ મુદ્દો સ્પષ્ટ કરવા આગ્રહ કરૂ છું કારણ કે તેનાથી આખા દેશમાં ભ્રમ પેદા થઈ રહ્યો છે.'
નિસિથ પ્રામાણિક પશ્ચિમ બંગાળના કૂચબિહાર ખાતેથી ભાજપના સાંસદ છે. અગાઉ તેઓ તૃણમૂલ કોંગ્રેસનો હિસ્સો રહી ચુક્યા છે. ગત લોકસભા ચૂંટણી પહેલા પ્રામાણિકે ટીએમસીમાંથી રાજીનામુ આપીને ભાજપ જોઈન કરી લીધું હતું. તાજેતરના મંત્રીપરિષદ વિસ્તારમાં નિસિથને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. આસામના રાજ્યસભા સાંસદ રિપુન બોરાએ એ બબાલનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં એક બાંગ્લાદેશી ફેસબુક પેજ દ્વારા પ્રામાણિકને રાજ્ય મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા તેને લઈ શુભેચ્છા આપવામાં આવી હતી અને તેમને બાંગ્લાદેશના દીકરા ગણાવવામાં આવ્યા ત્યાર બાદ શરૂ થઈ હતી.
રિપુન બોરાએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'આ ગંભીર ચિંતાનો વિષય છે કે એક વિદેશી નાગરિક એક વર્તમાન કેન્દ્રીય મંત્રી છે.' એક પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે સ્પષ્ટતા માટે તપાસ કરાવવા આગ્રહ વ્યક્ત કરવામાં આવ્યો છે. બોરાએ રિપોર્ટ્સનો હવાલો આપીને દાવો કર્યો હતો કે, પ્રામાણિકનો જન્મ બાંગ્લાદેશના ગૈબાંધા જિલ્લાના પલાસબારી પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલા હરિનાથપુર ખાતે થયો હતો. બોરાએ જણાવ્યું કે, તેઓ કથિત રીતે કોમ્પ્યુટરના અભ્યાસ માટે પશ્ચિમ બંગાળ આવ્યા હતા.
BarakBanglaNews, RepublicTV Tripura, IndiaToday & Business Standard publishes, @NisithPramanik is a Bangladeshi national. Its a matter of grave concern that a foreign national is an incumbent union minister. Urging PM @narendramodi in a letter to conduct an enquiry to clarify it. pic.twitter.com/5Td0xIoG8n
— Ripun Bora (@ripunbora) July 17, 2021
પ્રામાણિકના નજીકના લોકો દ્વારા ખંડન
કોંગ્રેસ સાંસદે ત્યાં સુધી દાવો કરી દીધો કે, કોમ્પ્યુટરની ડિગ્રી મેળવ્યા બાદ પ્રામાણિક ટીએમસીમાં અને પછી ભાજપમાં સામેલ થઈ ગયા અને આખરે કૂચબિહારથી એક સાંસદના પદ સુધી પહોંચ્યા. જોકે પ્રામાણિકના અંગત સૂત્રોએ આ પ્રકારના આરોપોનું જોરદાર ખંડન કરીને મંત્રીનો જન્મ, પાલન-પોષણ અને શિક્ષણ ભારતમાં થયું છે તેવો દાવો કર્યો હતો.
જોકે બીજી બાજુ શનિવાર રાત સુધી તો ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર મંત્રીઓની યાદીમાં પ્રામાણિકનું નામ અને તસવીર ગાયબ હતા. સત્તાવાર વેબસાઈટ પર 'એબાઉટ અસ' લિંક 'હૂ ઈઝ હૂ' સેક્શન તરફ લઈ જાય છે. તે અંતર્ગત 2 લિંક છે- એક તો કેન્દ્રીય મંત્રી અને બીજી રાજ્ય મંત્રીની. રાજ્ય મંત્રી પર ક્લિક કરવા પર નિત્યાનંદ રાય અને અજય કુમાર મિશ્રાનું નામ જ જોવા મળે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3et2KTA
via IFTTT
ટિપ્પણીઓ નથી: