UP: અયોધ્યાથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે CM યોગી! દિગ્ગજ નેતાઓને ઉતારવાની તૈયારીમાં ભાજપ


- ભારતીય જનતા પાર્ટીએ 2022માં 403માંથી 300 કરતા વધારે બેઠકો જીતવાનો લક્ષ્ય રાખ્યો 

નવી દિલ્હી, તા. 25 જુલાઈ, 2021, રવિવાર

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને હવે 7 મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. પ્રદેશમાં જેમ જેમ રાજકીય પારો ઉંચો ચઢી રહ્યો છે તેમ તેમ અટકળોનો દોર પણ શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એક્શન મોડમાં આવી ગઈ છે. રણનીતિઓ બનાવવામાં આવી રહી છે. પાર્ટી આ વખતે પણ મોટો વિજય પ્રાપ્ત કરવા ઈચ્છે છે. આ માટે દિગ્ગજ નેતાઓને વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતારવા અંગે વિચારણા ચાલી રહી છે. 

ભારતીય જનતા પાર્ટીએ 2022માં 403માંથી 300 કરતા વધારે બેઠકો જીતવાનો લક્ષ્ય રાખ્યો છે. એવી અટકળો લગાવાઈ રહી છે કે, ભાજપ યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓને ચૂંટણીમાં ઉતારી શકે છે. સૌથી વધુ ચર્ચામાં સીએમ યોગી, ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય, દિનેશ શર્મા અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને મહેન્દ્ર સિંહનું નામ છે. 

ભાજપ આ માટે તનતોડ પ્રયત્નો કરી રહ્યું છે. પાર્ટી હાઈકમાન અને પ્રદેશનું ટોચનું નેતૃત્વ સતત મંથન કરી રહ્યું છે કે, કઈ રીતે ફરી એક વખત વિધાનસભામાં ઐતિહાસિક વિજય દોહરાવી શકાય. બીએલ સંતોષ અને રાધામોહન સિંહની મુલાકાતોને જોઈને લાગી રહ્યું છે કે ભાજપ કોઈ પણ સંજોગોમાં પોતાના ચૂંટણી સમીકરણો પૂરા કરશે. 

વિધાન પરિષદના સદસ્ય છે સીએમ યોગી

સીએમ યોગી આદિત્યનાથ ઉપરાંત અન્ય દિગ્ગજો પણ વિધાન પરિષદના સદસ્ય છે. તેમનો કાર્યકાળ પણ વધુ દિવસનો નથી. સીએમ યોગી આદિત્યનાથની સાથે જ બંને ડેપ્યુટી સીએમ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષનો કાર્યકાળ પણ સપ્ટેમ્બર 2022 સુધીનો જ છે. ભાજપ પ્રયત્ન કરી રહ્યું છે કે, જો દિગ્ગજ નેતા વિધાનસભા ચૂંટણી લડશે તો આસપાસની વિધાનસભા બેઠકો સુરક્ષિત થઈ જશે. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kTzA40
via IFTTT

ટિપ્પણીઓ નથી: