UP ચૂંટણી પહેલા માયાવતીએ ખેલ્યો મોટો દાવ, બસપા યોજશે બ્રાહ્મણ સંમેલન, અયોધ્યાથી થશે શરૂઆત


- 2007માં માયાવતીએ મોટી સંખ્યામાં બ્રાહ્મણોને ચૂંટણીના મેદાનમાં ટિકિટ આપીને ઉતાર્યા હતા

નવી દિલ્હી, તા. 18 જુલાઈ, 2021, રવિવાર

ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ મોટો દાવ રમવાની તૈયારી કરી લીધી છે. માયાવતી ફરી એક વખત પ્રાંતમાં બ્રાહ્મણોને સાધવામાં મગ્ન થયા છે. માયાવતી ફરી એક વખત બ્રાહ્મણ સંમેલન શરૂ કરવા જઈ રહ્યા છે અને તેની જવાબદારી સતીશ ચંદ્ર મિશ્રાને આપવામાં આવી છે. 

આગામી 23 જુલાઈથી અયોધ્યા ખાતેથી બસપાનું બ્રાહ્મણ સંમેલન શરૂ થશે. 23 જુલાઈથી સતીશ ચંદ્ર મિશ્રા અયોધ્યામાં મંદિર દર્શનથી બ્રાહ્મણોને જોડવાની કવાયત શરૂ કરશે. પહેલા તબક્કામાં 23 જુલાઈથી 29 જુલાઈ સુધી સતત 6 જિલ્લામાં બ્રાહ્મણ સંમેલનો યોજાશે. સતીશ ચંદ્ર મિશ્રાના નેતૃત્વમાં જિલ્લાવાર રીતે આ સંમેલનો કરવામાં આવશે. 

બીએસપીનું બ્રાહ્મણ સંમેલન 2007ના ચૂંટણી અભિયાનને પગલે યોજાશે. શુક્રવારે લખનૌ ખાતે સમગ્ર પ્રદેશના 200થી વધારે બ્રાહ્મણ નેતાઓ અને કાર્યકરો બસપા કાર્યાલય પહોંચ્યા હતા જ્યાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બસપા 2007ના ફોર્મ્યુલા પર પાછી આવી રહી છે. દલિત બ્રાહ્મણ ઓબીસી આ ફોર્મ્યુલા સાથે માયાવતી 2022ની ચૂંટણીમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે, 2007માં માયાવતીએ મોટી સંખ્યામાં બ્રાહ્મણોને ચૂંટણીના મેદાનમાં ટિકિટ આપીને ઉતાર્યા હતા. માયાવતીની તે રણનીતિ સફળ પણ રહી હતી અને બીએસપીની પૂર્ણ બહુમતની સરકાર પણ બની હતી. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xNIns7
via IFTTT

ટિપ્પણીઓ નથી: