ડ્રગ કેસ: આર્યન ખાનને જેલ કે જામીન? બોમ્બે હાઈકોર્ટમાં આજે સુનાવણી, પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી મૂકશે પક્ષ

મુંબઈ, તા. 26 ઓક્ટોબર 2021 મંગળવાર
બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન ડ્રગ્સ કેસમાં કેટલાક દિવસથી સળિયા પાછળ છે. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ મામલે આર્યન ખાનના જામીન અરજીને મેજિસ્ટ્રેટ કોર્ટ અને વિશેષ એનડીપીએસ કોર્ટ બંને જ ફગાવી દીધા છે, જે બાદ આર્યન ખાનની જામીનની અરજી બોમ્બે હાઈકોર્ટમાં લગાવાઈ છે, જેની પર આજે સુનાવણી થવાની છે.
એનસીબીના નામે આર્યન ખાનના ચેટમાં મિત્રને ધમકાવ્યા
આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે વ્હોટ્સએપ ચેટના સ્ક્રીનશૉટ્સ એનસીબીની પાસે છે. આ ચેટના આધારે અનન્યાને ત્રણ વાર પૂછપરછ કરી છે. એક સ્ક્રીનશૉટ ગ્રૂપ ચેટનુ પણ છે. જેમાં આર્યનને કોકેન ટુમૉરોનુ પ્રસ્તાવ આપતા જોવા મળ્યા છે. એક ચેટમાં આર્યન એનસીબીના નામે પોતાના મિત્રને ધમકાવતા જોવા મળ્યા છે.
આર્યનની તરફથી મુકુલ રોહતગી કોર્ટમાં મૂકશે પક્ષ
ભારતના પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી બોમ્બે હાઈકોર્ટમાં આજે આર્યન ખાનની તરફથી રજૂ થશે. જામીન અરજીની સુનાવણી દરમિયાન મુકુલ રોહતગી સતીશ માનશિંદેની સાથે આર્યન ખાનના મુખ્ય વકીલ તરીકે કોર્ટમાં રજૂ થશે. બીજી તરફ એનસીબીની ટીમ આર્યન ખાન સહિત અન્ય તમામ આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરશે.
જાણકારી અનુસાર આર્યન ખાનની જામીન અરજી બોમ્બે હાઈકોર્ટમાં ક્રમાંક 57 પર સૂચિબદ્ધ છે. બીજી તરફ આર્યનના મિત્ર અને ડ્રગ્સ કેસના આરોપી અરબાઝ મરચન્ટની જામીન અરજીને ક્રમાંક 64 પર સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.
અમિત દેસાઈ પણ લડી ચૂક્યા છે આર્યનનો કેસ
શાહરુખ ખાન પોતાના દીકરા આર્યન ખાનને જેલમાંથી છોડાવવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છે અને નવા-નવા વકીલોને હાયર કરી રહ્યા છે. સતીશ માનશિંદે સિવાય વરિષ્ઠ વકીલ અમિત દેસાઈ પણ આર્યન ખાનને જેલના સળિયાથી બહાર કાઢવાની જવાબદારી ઉઠાવી ચૂક્યા છે. હવે આજે એક વાર ફરી બોમ્બે હાઈકોર્ટમાં આર્યન ખાન કેસની સુનાવણી થવાની છે. જેમાં મુકુલ રોહતગી કોર્ટની સામે આર્યન ખાન તરફથી પક્ષ મૂકશે. હવે જોવાનુ એ રહેશે કે આર્યનને આજે જામીન મળે છે કે નહીં.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Zgg7ln
via IFTTT
ટિપ્પણીઓ નથી: