અજીત પવારના પરિવારની રૂ.1400 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરવા ITનો આદેશ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાનની મુશ્કેલી વધી
સંપત્તિ બેનામી નથી એ પૂરવાર કરવા પવારને 90 દિવસનો સમય અપાયો
મુંબઈ : મહારાષ્ટ્રના માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખની ધરપકડ બાદ નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના નેતા અજીત પવારની મુશ્કેલી વધી ગઈ છે. ઈન્કમ ટેક્સ વિભાગે અજીત પવારના પરિવારની 1400 કરોડ રૂપિયાની સંપત્તિ જપિત કરવીવે આદેશ આપ્યો છે.
આમ એનસીપીના બે જયેષ્ઠ નેતા સામે એક પછી એક કાર્યવાહી થતા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે એનસીપીના સત્તાવાર પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે આઈટીએ જપ્ત કરેલી મિલકત સાથે અજીત પવારનો કોઈ સંબંધ નથી.
શરદ પવારના ભત્રીજા અજીત પવાર સંબંધિત સાકર કારખાના પર ઈક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટ (આઈટી)ના અધિકારીઓએ છાપો માર્યો હતો. અજીત પવારની સંપત્તી અને તેમના પુત્ર પાર્થ પવારની મુંબઈ સ્થિત નરીમાન પોઈન્ટની ઓફિસમાં પણ આઈટીે રેડ પાડી હતી.
ઈન્કમેટેકસ વિભાગે જરંડેશ્વર સાકર કારખાનાની 600 કરોડ રૂપિયા માલમતા, દક્ષિમ દિલ્હીન 20 કરોડ રૂપિયાનો ફલેટ, અજીત પવારના પુત્ર પાર્થની 25 કરોડ રૂપિયાની નિર્મલ ઓફિસ, ગોવાની 250 કરોડ રૂપિયાની નિલય નામની રિસોર્ટ, મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળે અંદાજે 500 કરોડ રૂપિયાની જમીન જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.
બીજી તરફ આ સંપત્તી બેનામી ન હોવાનું સાબિત કરવા આઈટી દ્વારા અજીત પવારને 90 દિવસનો સમય આપ્ય છે. આ સંપત્તી બાબતે તેમને જરૂરી દસ્તાવેજો રજૂ કરવાનું કહ્યું છે. અજીત પવારના પરિવારના સાતારામાં આવેલા જરંડેશ્વર સાકર કારખાના સંબંધિત ઈડીએ પણ તપાસ હાથ ધરી હતી. તેમના પર 750 કરોડ રૂપિયાથી લોનના કૌભાંડનો આરોપ કરાયો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CHxYjR
via IFTTT
ટિપ્પણીઓ નથી: