સરયૂ તટ પર બનશે દુનિયાની સૌથી ઊંચી, અયોધ્યામાં ભવ્ય રૂપમાં થશે ભગવાન રામના દર્શન


Ayodhya Ram Statue : ઉત્તરપ્રદેશની અયોધ્યા નગરીમાં રામલલાની રામ મંદિરમાં આગામી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. વર્ષો બાદ ભગવાન રામ ફરી ભવનમાં બિરાજશે. આ ઐતિહાસિક ક્ષણને વધુ ખાસ બનાવવા માટે ઉત્તરપ્રદેશ સરકારે વધુ એક તૈયારી શરૂ કરી દીધી છે. રામ મંદિરમાં પ્રતિષ્ઠિત થનારા રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓને ભગવાનનું એક વિશાળકાય સ્વરૂપ પણ જોવા મળશે.

સરયૂ નદીના તટ પર ભગવાન રામની 823 ફૂટ ઊંચી પ્રતિમા લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, જે દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડશે. આ મૂર્તિના પ્રોટોટાઈપને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલા જ મંજૂરી આપી ચૂક્યા છે. ટુંક સમયમાં જ સરયૂ તટ પર સ્થાપિત કરવાનું કામ શરૂ થઈ જશે.

માનેસરમાં ચાલી રહ્યું છે મૂર્તિનું નિર્માણ

ભગવાન રામના પવિત્ર જન્મસ્થળ પર ભગવાન રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે સરકારે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે, જેને લઈને આખી દુનિયાની નજરો આ સમયે અયોધ્યા પર લાગેલી છે. એવા સમયે અહીં દુનિયાની સૌથી ઊંચી મૂર્તિની સ્થાપના આ ચર્ચાને એક અલગ જ સ્તર પર પહોંચાડી દેશે. ભગવાન રામની આ મૂર્તિને તૈયાર કરવાનું કામ હરિયાણાના જાણિતા મૂર્તિકાર નરેન્દ્ર કુમાવતને મળ્યું છે, જેમની દેખરેખમાં હાલ હરિયાણાના માનેસર સ્થિત એક ફેક્ટરીમાં આ મૂર્તિ બનાવવામાં આવી રહી છે.

પંચધાતુની મૂર્તિ 3000 કરોડમાં થશે તૈયાર

823 ફૂટ ઊંચી  ભગવાન રામની આ મૂર્તિ પાંચ પવિત્ર ધાતુ (પંચ ધાતુ)થી બનશે. જેમાં 80 ટકા તાંબુ હશે. જેમની કિંમત પૂર્ણ થયા બાદ 3000 કરોડ રૂપિયા હશે. તેનું વજન અંદાજિત 13,000 ટન હશે. હાલ તેનું 10 ફૂટ ઊંચુ પ્રોટોટાઈપ તૈયાર કરાયા છે અને ફાઈનલ બજેટને મંજૂરી મળવાની રાહ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ તૂટશે રેકોર્ડ

ભગવાન રામની આ મૂર્તિ દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ હશે. આ રેકોર્ડ હાલ ગુજરાતના કેવડિયામાં આવેલી નર્મદા સરદાર સરોવર ડેમના કાંઠે સ્થાપિત સરદાર પટેલની 790 ફૂટ ઊંચી મૂર્તિ છે. જેનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. કુમાવતનો દાવો છે કે, આ મૂર્તિની કલાના સ્તર પર અલગ જ સ્ટાન્ડર્ડ સ્થાપિત કરશે. દુનિયાની સૌથી ચોથુ મોટું સ્ટેચ્યુ હોવાનો રેકોર્ડ રાજસ્થાનના નાથદ્વારામાં લાગેલી ભગવાન શિવની પ્રતિમા છે. આ પણ નરેશ કુમાવતની કલાકૃતિ છે.

'...ભગવાન રામની પ્રતિમા પહેલા સ્વદેશી પ્રતામા હશે'

એક મહત્વની વાત એ છે કે, ભગવાન રામની મૂર્તિનો 70 થી 80 ટકા હિસ્સો ચીનમાં બનાવવામાં આવશે. નરેશ કુમાવતે દાવો કર્યો કે, તેમણે બજેટની ફાઈનલ મંજૂરી મળી જાય છે તો ભગવાન રામની પ્રતિમા પહેલી આખી સ્વદેશી પ્રતિમા હશે જે આટલી ઊંચી બનાવવામાં આવશે.

નરેશ કુમાવતે અનેક પ્રતિમાઓ બનાવી છે

અયોધ્યામાં નમો ઘાટ પર લાગેલી હાથોની પ્રતિમા નરેશ કુમાવતની જ બનાવેલી છે, આ સવાય ભારતની સુપ્રીમ કોર્ટમાં લાગેલી બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ, ભારતની નવી સંસદમાં લાગેલી સરદાર પટેલની મૂર્તિ, સંસદમાં સમુદ્ર મંથનની ધાતુથી તૈયાર કરાયેલુ દ્રશ્ય, નોઈડામાં ભગવાન રામની શિવ પ્રતિમા પણ આર્ટિસ્ટ નરેશ કુમાવતની જ બનાવીલ કલાકૃતિઓ છે.





from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fqaeE91
via IFTTT

ટિપ્પણીઓ નથી: