VIDEO : 'અયોધ્યામાં ગોધરા જેવા રમખાણનો ડર છે', રામ મંદિર પર કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન


Congress MLC BK Hariprasad Controversial Statement on Ram Mandir : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ અંગે કર્ણાટક (Karnataka) કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય બી.કે.હરિપ્રસાદે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, કોઈપણ સરકારનો મૌલિક અધિકાર પોતાના લોકોના જીવન અને સંપત્તિની રક્ષા કરવાનો છે. જ્યારે તમે ભાજપના ઈતિહાસ પર જોશો તો ગોધરા, પુલવામા અને ઘણુ બધું થયું હતું, જેમાં હિંસા થઈ અને લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.

‘અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમ ધાર્મિક નહીં પણ રાજકીય’

હરિપ્રસાદે એમ પણ કહ્યું કે, ભાજપની આદત જ અપરાધની છે અને તે કંઈપણ કરી શકે છે. અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમ ધાર્મિક નહીં પણ રાજકીય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાનના મુખ્યમંત્રી કાર સેવક છે. કોંગ્રેસ નેતાઓ આ નિવેદન કર્યા બાદ છેવટે એમ કહ્યું કે, આ મારો અંગત મામલો છે. આ નિવેદન સાથે પક્ષને કોઈ લેવાદેવા નથી.

‘ગોધરામાં આવી જ ઘટના બની હતી’

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અયોધ્યા કાર્યક્રમમાં જનારા કારસેવકોની સુરક્ષા મામલે ચિંતા જોવા મળી રહી છે. સરકારે અયોધ્યા જઈ રહેલા લોકોને કડક સુરક્ષા આપવી જોઈએ, નહીં તો ગોધરાકાંડ જેવી ઘટના બની શકે છે, કારણ કે ગોધરામાં આવી જ ઘટના બની હતી.

કોંગ્રેસ નેતાએ મોદી-શાહ પર સાધ્યું નિશાન

તેમણે કહ્યું કે, આ ધાર્મિક કાર્યક્રમ હોય તો આમાં હિન્દુ ધાર્મિક ગુરુ શંકરાચાર્ય, તેમના અનુયાયીઓ અને અન્ય ધાર્મિક ગુરુઓ સામેલ થાત. અમે લોકો પણ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઈએ છીએ, પરંતુ અહીંના ધાર્મિક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરી રહ્યા છે. તેમણે ભાજપ પર નિશાન સાધતા પૂછ્યું કે, અમિત શાહ કયા ધાર્મિક ગુરુ છે ? તેમણે આક્ષેપ કર્યો કે, આ સમારોહમાં રાજકારણ સામેલ છે, કારણ કે પીએમ મોદી તેનું ઉદઘાટન કરી રહ્યા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nA6BCt3
via IFTTT

ટિપ્પણીઓ નથી: