રાહતના સમાચાર : દેશમાં ગત 24 કલાકમાં 4 લાખ કરતા ઓછા કેસ નોંધાયા, મૃત્યુઆંકમાં પણ ઘટાડો

- મહારાષ્ટ્ર, કેરળ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં દૈનિક કેસોમાં ઘટાડો

નવી દિલ્હી, તા. 10 મે 2021, સોમવાર

ભારતમાં ચાલી રહ્લા કોરોનાના કહેર વચ્ચે આજે આંશિક રાહતના સમાચાર આવ્યા છે. 4 દિવસ બાદ દેશમાં દરરોજ સામે આવતા કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. 4 દિવસ બાદ આજે છએલ્લા 24 કલાકમાં નવા કેસોની સંખ્યા 4 લાખ કરતા ઓછી થઇ છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,66,317 નવા કેસ સામે આવ્યા છે. તો સામે મોતનો આંકડો પણ 4000 કરતા નીચે ગયો છે. 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 3,747 લોકોના મોત થયા છે. આ પહેલા સતત બે દિવસથી કોરોનાના કારણે 4000 કરતા વધારે મોત થઇ રહ્યા હતા.

નવા દર્દીઓ અને સાજા થનારા લોકોના આંક વચ્ચેનું અંતર ઘટ્યું

રાહતની વાત એ છે કે નવા કોરોનાના દર્દીઓ અને કોરોનાથી સાજા થનાર દર્દીઓ વચ્ચે જે મોચું અંતર હતું તે ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3,53,580 લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. જેની સામે નવા કેસ 3.66 લાખ છે. છેલ્લા કેટલાક દિવસોથી આ બને આંક વચ્ચે એક લાખ કરતા વધઆરે અંતર હતું, જે ઘટીને આજે 10 હજાર થયું થયું છે. દેશમાં વર્તમાન સમયે એક્ટિવ કેસની સંખ્યા 37,41,368 છે.

મહારાષ્ટ્રમાં એક મહિના બાદ એક દિવસમાં 50 હજાર કરતા ઓછા કેસ

દેશમાં કોરોનાના એપીસેન્ટર એવા મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર ઓછો થયો છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં 48,401 નવા કેસ નોંધાયા છે અને 572 લોકોના મોત થયા છે. એક મહિના જેટલા સમય બાદ આજે પ્રથમ વખત મહારાષ્ટ્રમાં એક દિવસમાં 50 હજાર કરતા ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા 5 એપ્રિલના દિવસે મહારાષ્ટ્રમાં કોરોનાના 47288 કેસ નોંધાયા હતા. તો કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 60,000ને વટાવી ચુકી છે.

દિલ્હી અને યુપીમાં પણ રાહત, કર્ણાટકે ચિંતા વધારી

દિલ્હી, ઉત્તર પ્રદેશ અને કેરળ સમેત ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં ઘટાડો થયો છે. જો કે કર્ણાટકમાં સ્થિતિ હજુ પણ ખરાબ છે. છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં કોરોના વાયરસના 47930 કેસ નોંધાયા છે અને 490 લોકોના મોત થયા છે.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R6mJ22
via IFTTT

ટિપ્પણીઓ નથી: