ગુરૂ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વ નિમિત્તે શીશગંજ ગુરૂદ્વારા પહોંચ્યા PM મોદી, ટેકવ્યું માથું


- પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ટ્વીટ કરીને લોકોને ઘરે રહીને ગુરૂ પર્વ ઉજવવા વિનંતી કરી

નવી દિલ્હી, તા. 1 મે, 2021, શનિવાર

શીખ ધર્મના ગુરૂ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વ નિમિત્તે પંજાબના અમૃતસર ખાતે આવેલા સુવર્ણ મંદિરમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓએ સુવર્ણ મંદિર જઈને સરોવરમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. સરોવરમાં ડૂબકી લગાવ્યા બાદ શ્રદ્ધાળુઓએ સુવર્ણ મંદિરમાં ગુરૂ તેગ બહાદુરના પ્રકાશ પર્વ પર વિશેષ પ્રાર્થના કરી હતી.

આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ગુરૂ તેગ બહાદુરને વંદન કર્યા હતા. વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે, 'ગુરૂ તેગ બહાદુરને તેમના 400મા પ્રકાશ પર્વ પર વંદન કરૂ છું. સાહસ અને દલિતોની સેવાના તેમના પ્રયત્નો માટે તેમને વિશ્વ સ્તરે સન્માનિત કરવામાં આવે છે. તેમણે અત્યાચાર અને અન્યાય સામે નમવાની ના પાડી દીધી હતી. તેમનું સર્વોચ્ય બલિદાન અનેક લોકોને શક્તિ અને પ્રેરણા આપે છે.'

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ શીશગંજ ગુરૂદ્વારાની મુલાકાત લીધી હતી અને પ્રાર્થનામાં સામેલ થયા હતા. તેઓ જ્યારે શીશગંજ ગુરૂદ્વારા પહોંચ્યા ત્યારે ત્યાં સુરક્ષાના આકરા પ્રબંધ કરવામાં આવ્યા હતા. તે સિવાય પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ ટ્વીટ કરીને ગુરૂ તેગ બહાદુરને યાદ કર્યા હતા અને લોકોને ઘરે રહીને ગુરૂ પર્વ ઉજવવા વિનંતી કરી હતી. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gRFz7o
via IFTTT

ટિપ્પણીઓ નથી: