સપા સાંસદ આઝમખાનની હાલત નાજુક, દસ લિટર ઓક્સિજન અપાઈ રહ્યો છે

પટના,તા.11 મે 2021,મંગળવાર

સમાજવાદી પાર્ટીના સાંસદ અને નેતા આઝમ ખાનને કોરોના થયા બાદ જેલમાં સારવાર અપાઈ રહી હતી.તેમની તબિયત વધારે લથડતા તાજેતરમાં તેમને લખનૌની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જોકે તેમની સ્થિતિ નાજુક છે.હવે તેમને પહેલા કરતા વધારે ઓક્સિજન આપવો પડી રહ્યો છે.જોકે તેમના પુત્રની હાલતમાં સુધાર હોવાનુ ડોકટરોનુ કહેવુ છે.

સવા વર્ષથી સીતાપુરની જેલમાં બંધ સપા સાંસદ આઝમખાનની તબિયત રવિવારે લથડી હતી.એ પછી તેમને લખનૌ વધુ સારવાર માટે લવાયા હતા.આઝમખાનના પુત્ર અબ્દુલ્લાને પણ અહીંયા દાખલ કરાયા છે.શરુઆતમાં આઝમખાનને ચાર લિટર ઓક્સિજન અપાતો હતો.જોકે તેમના ફેફસામાં ગંભીર સંક્રમણ છે અને હવે તેમને 10 લિટર ઓક્સિજન અપાઈ રહ્યો છે.તેમને આઈસીયુમાં રખાયા છે.ડોક્ટરોની ટીમ તેમના પર નજર રાખી રહી છે.જ્યારે તેમના પુત્રની સ્થિતિ સારી છે.

આઝમખાનને આ ખાનગી હોસ્પિટલમાં બેડ પણ બહુ મુશ્કેલીથી મળ્યો હતો.તેમની સુરક્ષા માટે બે પોલીસ અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vTiGVB
via IFTTT

ટિપ્પણીઓ નથી: