બળાત્કારના કેસમાં તેહલકા મેગેઝિનના પૂર્વ તંત્રી તરૂણ તેજપાલ આઠ વર્ષે નિર્દોષ

- બળાત્કારના કેસમાં ગોવાની કોર્ટ આપ્યો ચુકાદો

નવી દિલ્હી, તા. 21 મે 2021, શુક્રવાર

તેહલકા મેગેઝિનના પૂર્વ સંપાદક તરૂણ તેજપાલ વિરુદ્ધ ચાલી રહેલા બળાત્કારના કેસ રાહત મળી છે. આઠ વર્ષ બાદ શુક્રવારે સવારે ગોવાની મપુસા કોર્ટ દ્વારા તરૂણ તેજપાલના કેસમાં ચુકાદો આપ્યો છે અને તેમને સેક્સ્યુઅલ હરેસમૅન્ટ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.

તેહલકાના પૂર્વ તંત્રી પર 2013માં ગોવાની એક ફાઇવ સ્ટાર હોટલની લિફ્ટમાં તેમની એક જુનિયરની છેડતી કરી હોવાનો આરોપ હતો.  તેજપાલે પોતાની ઉપરના આરોપોને નકાર્યા હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bIzvuR
via IFTTT

ટિપ્પણીઓ નથી: