બંગાળ ચૂંટણીઃ મમતા બેનરજીની પ્રચંડ જીત પાછળ જવાબદાર છે આ ચાર M ફેકટર

નવી દિલ્હી,તા.2.મે.2021
પશ્ચિમ બંગાળમાં જે રીતે મમતા બેનરજીએ ભાજપની તમામ ચૂંટણી મશિનરીને એકલા હાથે પરાસ્ત કરી છે તે જોઈને ખુદ ભાજપ પણ સ્તબ્ધ છે.
ભાજપે પોતાનુ કદ વધાર્યુ છે પણ ભાજપના નેતાઓને એવી આશા નહોતી કે પાર્ટી 100 બેઠકોની અંદર સમેટાઈ જાય તેવી સ્થિતિ સર્જાશે.ઉલટાનુ ભાજપને લાગતુ હતુ કે આ વખતે બંગાળમાં પાર્ટી સત્તા મેળવશે.જોકે મમતા બેનરજીએ ચાર એમ ફેક્ટરના સહારે જીત મેળવી હોય તેમ લાગી રહ્યુ છે.
જેમ કે મતુઆ સમુદાયની બંગાળમાં બે કરોડની વસતી છે.ચૂંટણી પહેલા પીએમ મોદી બાંગ્લાદેશ ગયા હતા અને મતુઆ સમુદાયના મંદિરમાં પૂજા કરવા માટે પણ ગયા હતા.જોકે એવુ લાગે છે કે, આ સમુદાયે ભાજપને મત આપ્યા નથી અને મમતા બેનરજી પર ભરોસો મુક્યો છે.
બીજુ એમ ફેકટર મુસ્લિમોનુ છે.જેમણે ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના ઉમેદવારોને નજરઅંદાજ કરીને મમતા બેનરજીના ઉમેદવારોને એક થઈને મત આપ્યા છે.મમતા બેનરજી મુસ્લિમ મતદારોને પોતાની સાથે રાખવામાં સફળ થયા છે.
એમ ફોર મહિલા એટલે કે મહિલાઓનુ ફેકટર પણ મમતા બેનરજીના પક્ષમાં રહ્યુ છે.મહિલાઓ ભાજપને મત આપશે તેવી ભાજપના નેતાઓની ગણતરી પણ ખોટી પડતી હોય તેમ લાગે છે.મોટાભાગની મહિલાઓએ મમતા બેનરજીને મત આપવાનુ પસંદ કર્યુ છે.
જ્યારે ચોથુ એમ ફેક્ટર મમતા બેનરજી પોતે જ છે.મમતા બેનરજીને ભાજપે હિન્દુ વિરોધી દર્શાવવાની કોશિશ કરી હતી પણ મમતા બેનરજીએ સ્ટેજ પરથી ચંડીપાઠ કર્યા હતા.મમતા બેનરજીને ભાજપે મુસ્લિમ ગણાવ્યા ત્યારે મમતાએ જાહેર કર્યુ હતુ કે, હું હિન્દુ બ્રાહ્મણ છું.ઉપરાંત મમતા બેનરજીએ વ્હીલચેર પર પ્રચાર કરીને પણ મતદારોમાં સહાનુભૂતી ઉભી કરી હતી.મમતા બેનરજીએ ભાજપના નેતાઓને બહારના અને પોતાને બંગાળની બેટી કહીને સંબોધન કર્યુ હતુ.જે પણ ભાજપને નુકસાન કરી ગયુ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RlSiV9
via IFTTT
ટિપ્પણીઓ નથી: