કોરોના વેક્સિનેશન અંગેનો UP સરકારનો વિવાદિત નિર્ણય પાછો ખેંચાયો, આધારની અડચણનો અંત

- અગાઉ સરકારે ફક્ત યુપીના લોકોને જ વેક્સિનેશનમાં સામેલ કરવાનો આદેશ આપ્યો હતો
નવી દિલ્હી, તા. 13 મે, 2021, ગુરૂવાર
ઉત્તર પ્રદેશ સરકારે કોરોના વેક્સિનેશન અંગેનો પોતાનો વિવાદિત નિર્ણય પાછો ખેંચી લીધો છે. હવેથી 18થી 44 વર્ષના લોકોના વેક્સિનેશન માટે આધાર અને અન્ય સ્થાયી નિવાસ પ્રમાણપત્રની અડચણ નહીં રહે. હવે યુપીમાં નિવાસ કરવાનું કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરનારને કોરોનાની રસી આપવામાં આવશે. યુપીમાં હવે સ્થાયી અને અસ્થાયી રૂપથી રહેતા લોકોને રસી આપવામાં આવશે.
અગાઉ સરકારે ફક્ત યુપીના લોકોને જ વેક્સિનેશનમાં સામેલ કરવાનો આદેશ આપ્યો હતો. નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટરે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, 18થી 44 વર્ષની ઉંમર ધરાવતા અન્ય રાજ્યના લોકોએ વેક્સિનેશન મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેથી યુપીના લોકોને વેક્સિન નથી મળી રહી.
તેમના કહેવા પ્રમાણે રાજ્ય સરકારે પ્રદેશવાસીઓ માટે વેક્સિન ખરીદી છે અને રાજ્ય સરકારે પોતે પોતાના પૈસાથી જ આ વેક્સિન ઓર્ડર કરીને મંગાવી છે માટે ફક્ત રાજ્યના લોકોને જ વેક્સિન આપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિને કોરોના વેક્સિન આપતા પહેલા તે યુપીનો નિવાસી હોય તે સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ho4rUv
via IFTTT
ટિપ્પણીઓ નથી: