અશાંત અફઘાનિસ્તાનઃ કંદહારમાંથી ભારતના 50 ડિપ્લોમેટ્સ અને સુરક્ષા કર્મીઓને ભારત પાછા બોલાવી લેવાયા

નવી દિલ્હી,તા.11.જુલાઈ.2021
અમેરિકન સૈનિકોની વિદાય બાદ અફઘાનિસ્તાનમાં ફરી એક વખત તાલિબાન પોતાનુ પ્રભુત્વ જમાવી રહ્યુ છે ત્યારે હવે ભારતે કંદહાર સ્થિત પોતાના 50 ડિપ્લોમે્ટસને અને સુરક્ષાકર્મીઓને પાછા બોલાવી લીધા છે.વાયુસેનાના એક ખાસ વિમાન મારફતે તેમને પરત લાવવામાં આવ્યા હતા.
આજે શનિવારે આ વિમાન નવી દિલ્હી માટે રવાના થયુ હતુ.જોકે સ્થાનિક કર્મચારીઓ હજી ભારતીય કચેરીમાં છે પણ વાણિજ્ય દુતાવાસ અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાયુ છે.ઉલ્લેખનીય છે કે, કંદહારમાંથી ભારતીય ડિપ્લોમે્ટસને પાછા બોલાવવાનો નિર્ણય વિદેશ મંત્રાલયના નિવેદન બાદ આવ્યો છે.જેમાં મંત્રાલયે કહ્યુ હતુ કે દૂતાવાસ બંધ નથી.
જોકે આ નિવેદનના બે જ દિવસ બાદ ભારતીય ડિપ્લોમેટ્સને પાછા બોલાવવામાં આવ્યા છે.
એક રિપોર્ટ પ્રમાણે કંદહાર અને અફઘાનિસ્તાનના દક્ષિણમાં આવેલા પ્રાંતોમાં પાકિસ્તાનના લશ્કર એ તોયબાના આંતકવાદીઓ મોટી સંખ્યામાં હાજર છે.જેના કારણે અહીંથી ભારતીય કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓને પાછા બોલાવવાનો નિર્ણય લેવાયો છે.દક્ષિણી અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે મળીને લશ્કર એ તોયબાના 7000 આતંકીઓ અફઘાનિસ્તાનની સેના સામે લડી રહ્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VwX6cz
via IFTTT
ટિપ્પણીઓ નથી: