દિલિપ કુમારને ભારત રત્ન કેમ નથી અપાયો? શત્રુઘ્ન સિંહાએ ઉઠાવ્યો સવાલ

નવી દિલ્હી,તા.8.જુલાઈ.2021
દિલિપ કુમારના નિધનથી બોલીવૂડમાં અને લાખો ચાહકોમાં શોકની લહેર ફરી વળી છે.
દરમિયાન સિનિયર એકટર અને રાજકારણી શત્રુઘ્ન સિંહાએ સવાલ ઉઠાવ્યો છે કે, દિલિપ કુમારને સૌથી વધારે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા છે, નેશનલ એવોર્ડ મળ્યા છે પણ તેમને ભારત રત્ન કેમ આપવામાં આવ્યો નથી?
શત્રુઘ્ને એમ પણ કહ્યુ હતુ કે, ભારતીય સિનેમાનો આખરી બાદશાહ જતો રહ્યો છે.એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યુ હતુ કે, આપણે રાજકપૂર અને દેવ આનંદને ગુમાવી દીધા છે.આ ઘા ભરાયા નથી અને હવે સિનેમાના આખરી બાદશાહે પણ વિદાય લીધી છે.દિલિપ કુમાર દુર્લભ એક્ટર હતા.શો બિઝનેસ ચાલતો રહેશે પણ તે પહેલા જેવો નહીં હોય.
તેમણે કહ્યુ હતુ કે, દિલિપ કુમારની હું બીજા સાથે સરખામણી કરવા નથી માંગતો પણ એવા બીજા પણ છે જેમને ભારત રત્ન આપવમાં આવ્યો છે.દિલિપ કુમારને સરકારે 1991માં પદ્મ ભૂષણથી અને 1994માં દાદા સાહેબ ફાલકે એવોર્ડથી સન્માનિત કર્યા હતા.જ્યારે 2015માં દિલિપ કુમારને પદમ વિભૂષણ આપવામાં આવ્યો હતો.
તેમણે આગળ કહ્યુ હતુ કે, દિલિપ કુમારને હંમેશા ટ્રેજેડી કિંગ કહેવામાં આવે છે પણ તેમનુ પરદા પરનુ ટાઈમિંગ જબરદસ્ત હતુ.તેઓ કોમેડી કરવામાં પણ એટલા જ માહેર હતા.આઝાદ અને ગંગા જમનામાં તેમની કોમેડી જબરદસ્ત હતી.
શત્રુઘ્ન સિંહાએ ક્રાંતિ ફિલ્મમાં દિલિપ કુમારની સાથે કામ કર્યુ હતુ.તે વખતે દિલિપ કુમારે મારી પ્રશંસા કરી હતી.જે મને આખી જિંદગી યાદ રહેશે.હું સેટ પર તેમની પાછળ બેઠો હતો અને ડાયરેકટરે તેમને એક લાંબો ડાયલોગ આપ્યો હતો.દિલિપ કુમારને હું પાછળ બેઠો છું તે ખબર નહોતી.તેમણે ડાયરેક્ટરને કહ્યુ હતુ કે, હું શત્રુઘ્ન સિંહા નથી કે દસ મિનિટ લાંબો ડાયલોગ યાદ રાખી શકું.હું આ સાંભળીને ઉઠ્યો હતો અને તેમને ભેટી પડ્યો હતો.
તેમમે કહ્યુ હતુ કે, 2015માં મારા પુત્રના લગ્ન હતા અને હું તેમને પરિવાર સાથે ઘરે મળવા ગયો હતો.મારા પુત્ર કુશને તેમણે માથા પર હાથ મુકીને આશીર્વાદ આપ્યા હતા.દિલિપ કુમારના 94મો જન્મ દિવસ મને યાદ રહેશે.હું અને ધર્મેન્દ્ર તેમની ઘરે ગયા હતા અને લાંબા સમય સુધી તેમની સાથે વાતો કરી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hOyTps
via IFTTT
ટિપ્પણીઓ નથી: