સાયરાએ મને કહ્યું કે, જો ધરમ દિલિપ સાહેબની પાંપણ હલી રહી છે


નવી દિલ્હી,તા.8.જુલાઈ.2021

અભિનેતા દિલિપ કુમારના નિધન બાદ ફિલ્મ ચાહકો શોકમાં ગરકાવ છે.વિતેલા જમાનાના સ્ટાર એકટર ધર્મેન્દ્ર દિલિપ કુમારના નિધનથી દુખી થઈ ગયા છે.

દિલિપ કુમારના અંતિમ દર્શન માટે તેઓ તેમના ઘરે ગયા હતા અને દિલિપ કુમારના પાર્થિવ દેહ પાસે ગૂમસૂમ બેઠેલા ધર્મેન્દ્રની તસવીર વાયરલ થઈ રહી છે.ખુદ ધરમજીએ આ ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે.ધર્મેન્દ્રએ કહ્યુ હતુ કે, મને દેખાડો નથી આવડતો પણ હું મારી લાગણીઓ પર કાબૂ રાખી શકતો નથી.

બીજા ટ્વિટમાં તેમણે લખ્યુ હતુ કે, જ્યારે હું દિલિપ સાબના અંતિમ દર્શન માટે ગયો  ત્યારે સાયરાએ મને કહ્યુ હતુ કે,  ધરમ જો સાહેબની આંખની પાંપણ હલી રહી છે.તે વખતે મારો જીવ નિકળી ગયો હતો.માલિક મારા પ્યારા ભાઈને જન્નત અદા કરે.

ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્ર અને દિલિપ કુમાર વચ્ચે બહુ બોન્ડિંગ હતુ.દિલિપ કુમારના નિધનના ખબર સાંભળીને ધર્મેન્દ્ર બહુ ઈમોશનલ થઈ ગયા હતા.તેમણે સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, મારા ભાઈના નિધનથી હું બહુ દુખી છું અને જ્યારે પણ દિલિપ કુમારના ઘરને જોઉં છું ત્યારે મને લાગે છે કે ,હું જાણે હજ કરીને આવ્યો છું.તેમણે હંમેશા મને સગા ભાઈ જેવો પ્રેમ આપ્યો હતો.તેમણે મને ક્યારેય પારકો ગણ્યો નથી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hkGBsy
via IFTTT

ટિપ્પણીઓ નથી: