બાંગ્લાદેશમાં ચાર મંદિર, હિંદુઓના 100 ઘરો-દુકાનોમાં ભારે તોડફોડ


પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલા વધ્યા

મંદિરે જઇ રહેલા હિંદુઓને મસ્જિદના ઇમામે ભજન કિર્તન ગાતા અટકાવતા વિવાદ વકર્યો, પોલીસ કાફલો તૈનાત કરાયો

પોલીસે 10ની ધરપકડ કરી, સમગ્ર વિસ્તારમાં સ્થિતિ તંગ, હિંદુઓ ભયભીત

ઢાકા : પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલાનું પ્રમાણ વધ્યું છે. બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં ન માત્ર મંદિરોમાં તોડફોડ કરવામાં આવી સાથે સાથે હિંદુઓના 100થી પણ વધુ ઘરો અને દુકાનોમાં પણ ભારે તોડફોડ કરાઇ હતી. જેને પગલે પોલીસે દસ લોકોની ધરપકડ કરી છે અને સુરક્ષા વધારી દીધી છે.

શુક્રવારે રાત્રે અહીંના શૈલી ગામમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ મુસ્લિમોનું ટોળુ હિંદુઓના મંદિર અને મકાનો પર તુટી પડયું હતું. સૌથી પહેલા અહીંના શૈલી મહાસ્મશાન મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું.

જ્યાં મંદિરમાં રાખવામાં આવેલી મુરતીઓને તોડી નખાઇ હતી. બાદમાં અહીંના હરી મંદિર, દુર્ગા મંદિર, ગોવિંદા મંદિરમાં પણ ભારે તોડફોડ કરી હતી. અહીં છ દુકાનો અને 100 જેટલા મકાનોમાં પણ તોડફોડ કરી હતી જે બધા જ હિંદુઓના છે. 

સૃથાનિક રિપોર્ટ અનુસાર એક જ દિવસમાં ચાર જેટલા મંદિરોમાં તોડફોડ કરી હતી. સમગ્ર વિસ્તારમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. અહીંથી હિંદુઓ કિર્તન ભજન કરતા કરતા મંદિર તરફ જઇ રહ્યા હતા. એવામાં વચ્ચે એક મસ્જિદ આવી, જે દરમિયાન પણ તેઓ ભજન ગાઇ રહ્યા હતા.

જોકે મસ્જિદના ઇમામે હિંદુઓને ભજન કિર્તન કરતા અટકાવ્યા હતા. અને મસ્જિદની સામે ભજન ન ગાવા કહ્યું હતું. જે બાદ બન્ને વચ્ચે બોલાચાલી થતા 100થી વધુ મુસ્લિમોનું ટોળુ હિંદુ મંદિર તરફ ધસી ગયું હતું અને મંદિરમાં તોડફોડ કરી હતી. સાથે જ હિંદુઓના મકાનોમાં ઘુસીને ભારે તોડફોડ કરી હતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fPtHBD
via IFTTT

ટિપ્પણીઓ નથી: