ગુજરાતમાં આજે કોરોનાનાં 14 નવા કેસ, 25 દર્દીઓ સાજા થયા, કુલ 160 એક્ટિવ કેસ

ગાંધીનગર, 24 ઓગસ્ટ 2021 મંગળવાર

રાજ્યમાં આજે કોરોનાનાં 14 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી, તેથી કુલ મૃત્યુઆંક 10079 પર સ્થિર છે, આજે 25 દર્દીઓ સાજા થયા છે, હાલ કુલ 160 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે અને 155 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,15,091 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત 3, વડોદરા કોર્પોરેશનમાં 3, ભાવનગર 1, કચ્છ 1 અને સુરત કોર્પોરેશન 1 કેસ નો સમાવેશ થાય છે. 

રાજ્યનાં કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં આજે એક પણ કેસ નોંધાયો નથી, જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડનો સમાવેશ થાય છે. 

રાજ્યમાં રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 15 લોકોને પ્રથમ ડોઝ અને 5085 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 78957 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 67802 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 2,42,081 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 69096 નાગરિકોને રસીનો બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે. આજે કુલ 4,63,036 ડોઝ લગાવવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,36,31,533 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3B73Jlb
via IFTTT

ટિપ્પણીઓ નથી: