ગુજરાતમાંથી કોરોનાની બીજી લહેરની વિદાય, આજે માત્ર 19 કેસ, 27 દર્દી ડિસ્ચાર્જ કરાયા
ગાંધીનગર, 7 ઓગસ્ટ 2021 શનિવાર
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર જાણે વિદાય લઇ રહી હોય તેવું સરકારી આંકડા જોતા જણાય છે, જેમ કે આજે રાજ્યમાં માત્ર 19 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીને રજા આપવામાં આવી છે.
રાજ્યમાં હાલમાં કુલ 196 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 192 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,747 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત થયું નથી તેથી કુલ મૃત્યુઆંક 10077 પર સ્થિર છે. રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા થયો છે.
રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 4, અમરેલી 2,ગાંધીનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1 કેસ નોંધાયો છે.
જો કે રાજ્યનાં કેટલાક જિલ્લાઓ એવા પણ છે, જ્યાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જેમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે એક જ દિવસમાં સૌથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ છે. આજે કુલ 6,01,720 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,61,96,017 લોકોને રસી લગાવવામાં આવી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iwiSpQ
via IFTTT
ટિપ્પણીઓ નથી: