ટ્રિપલ તલાક કાયદાના બે વર્ષ: કેન્દ્રનો દાવો- 80 ટકા કેસ ઓછા થયા, મુસ્લિમ સંગઠને કહ્યુ, મહિલાઓની મુશ્કેલી વધી


નવી દિલ્હી, તા. 3 ઓગસ્ટ 2021 મંગળવાર

ત્રિપલ તલાક વિરૂદ્ધ મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાને બે વર્ષ પૂરા થઈ ગયા છે. કાયદાને સમગ્ર રીતે પ્રભાવી જણાવતા કેન્દ્રીય લઘુમતી મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દાવો કરી રહ્યા છે કે આનાથી ટ્રિપલ તલાકના કેસમાં 80 ટકાનો ઘટાડો આવ્યો છે. જોકે મુસ્લિમ સંગઠન આ આંકડાઓ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. ટ્રિપલ તલાક વિરૂદ્ધ લડત લડનારી મુસ્લિમ મહિલા પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ શાઈસ્તા અંબર આ કાયદાનો દુરુપયોગ થયો હોવાનો દાવો કરી રહી છે.

મોદી સરકારનો દાવો- ટ્રિપલ તલાકના કેસમાં ઘટાડો

ટ્રિપલ તલાક કાયદાના બે વર્ષ પૂરા થવા પર રવિવારે દિલ્હીમાં મુસ્લિમ મહિલા અધિકાર દિવસનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. જેમાં મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે મુસ્લિમ મહિલા એક્ટ લાગુ થયા બાદ ટ્રિપલ તલાકના કેસમાં 80 ટકાનો ઘટાડો નોંધાયો છે. 1 ઓગસ્ટ 2019એ કાયદાને લાગુ થયા પહેલા ઉત્તર પ્રદેશમાં 63 હજારથી વધારે કેસ નોંધાયા હતા. જે કાયદો લાગુ થયા બાદ 221 રહી ગયા. બિહારમાં 49 કેસ જ ટ્રિપલ તલાકના નોંધાયા. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે આ મુસ્લિમ મહિલા અધિકાર દિવસ મુસ્લિમ મહિલાઓની ભાવના અને સંઘર્ષને સલામ કરવા માટે છે.

કાયદાથી મહિલાઓ માટે મુશ્કેલી વધી

ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રવક્તા મૌલાના સજ્જાદ નોમાનીએ કહ્યુ કે ટ્રિપલ તલાક લાગુ થયા બાદ બે વર્ષ બાદ મોદી સરકારે જે દાવો કર્યો છે. જે હકીકતથી સમગ્ર રીતે મેળ ખાતો નથી. મુસ્લિમ કમ્યુનિટીના જે તથ્ય અમારી સામે આવી રહ્યા છે. તેનાથી એ જાણ થાય છે કે કાયદો લાગુ થયા બાદ મુસ્લિમ મહિલાઓ વિરૂદ્ધ ઘરેલૂ હિંસાના કેસ વધી રહ્યા છે.

કાયદાનો થઈ રહ્યો છે દુરુપયોગ: શાઈસ્તા

ટ્રિપલ તલાક વિરૂદ્ધ લડત લડનારી ઑલ ઈન્ડિયા મુસ્લિમ મહિલા પર્સનલ લૉ બોર્ડના અધ્યક્ષ શાઈસ્તા અંબર કહે છે કે કાયદો આવ્યા બાદ ટ્રિપલ તલાકમાં ઘટાડો થયો છે. હવે પહેલાની જેમ ટ્રિપલ તલાકના કેસ રોજ સંભળાતા નથી. પરંતુ તે બીજી રીતે સામે આવી રહ્યા છે. પુરુષ પહેલા ટ્રિપલ તલાકનો ખોટો ઉપયોગ કરતા હતા તો હવે મહિલાઓ નવા કાયદાનો કારણ વિના ઉપયોગ કરી રહ્યા છે. તાજેતરમા જ કેટલાક એવા કેસ સામે આવ્યા છે. જેમાં યુવતી અને તેના ઘરના લોકોએ યુવક વિરૂદ્ધ ટ્રિપલ તલાક કાયદાને એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો. તેથી કાયદાનો દૂરુપયોગ થતો રોકવા માટે પણ સરકારે વિચારણા કરવાની જરૂર છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ikafPh
via IFTTT

ટિપ્પણીઓ નથી: