પત્રકારે પુછ્યું- શું તમને તાલિબાન પર વિશ્વાસ છે? રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું- મને તો તમારા પર પણ વિશ્વાસ નથી

- અફઘાનિસ્તાનમાંથી નીકળવાના નિર્ણયને બાઈડને એકદમ યોગ્ય અને લોજિકલ ગણાવ્યો અને કહ્યું ઈતિહાસમાં તેની કદર થશે
નવી દિલ્હી, તા. 23 ઓગષ્ટ, 2021, સોમવાર
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી બાદ હવે ત્યાં તાલિબાનનું રાજ છે. તાલિબાનીઓ ટૂંક સમયમાં જ નવી સરકારની રચના કરશે. આ બધા વચ્ચે અમેરિકાના નિર્ણયને લઈ સૌ કોઈ તેની ટીકા કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ જો બાઈડન પણ સૌ કોઈના નિશાન પર છે.
તેવામાં રાષ્ટ્રપતિ જો બાઈડનને તાલિબાન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. પત્રકારે તેમને સવાલ કર્યો હતો કે, શું તમને તાલિબાન પર વિશ્વાસ છે. તેના જવાબમાં બાઈડને કહ્યું કે, તેઓ કોઈના પર વિશ્વાસ નથી કરતા.
#WATCH | "I don’t trust anybody, including you, I love you but there is not a lot of people I trust. Taliban has to make a fundamental decision," says US President Joe Biden on being asked --do you trust them (Taliban) now? pic.twitter.com/LDREjZm5Yn
— ANI (@ANI) August 23, 2021
વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જો બાઈડને જણાવ્યું કે, તેઓ કોઈના પર પણ વિશ્વાસ નથી કરતા, તમારા પર પણ નહીં. હું તમને પ્રેમ કરૂ છું, પરંતુ એવા અનેક લોકો છે જેમના પર હું વિશ્વાસ નથી કરતો. તાલિબાને પહેલા લોકોમાં વિશ્વાસ જગાવવો પડશે. લોકોને સુવિધાઓ આપવી પડશે. તાલિબાને ઘણું કહ્યું છે- અમે જોઈએ છીએ કે તે પોતાની વાતો પર સાચું સાબિત થાય છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે, જો બાઈડન દ્વારા અમેરિકી સેનાને હટાવવાને લઈ ખૂબ ટીકાઓ થઈ રહી છે. જોકે બાઈડને પોતાના નિર્ણયને એકદમ યોગ્ય અને લોજિકલ ગણાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે જો તેઓ અત્યાર બહાર નહીં નીકળે તો ક્યારે નીકળશે. ઈતિહાસમાં આ નિર્ણય એકદમ સાચો અને લોજિકલ માનવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, માત્ર અફઘાનિસ્તાન જ નહીં, અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ બાઈડન પ્રશાસનના નિર્ણયની ટીકા થઈ રહી છે. દરેક વ્યક્તિ આ રીતે અફઘાનિસ્તાનને એકલું છોડી દેવાની ટીકા કરી રહ્યું છે. તાલિબાની રાજના આગમન બાદ હજારો અફઘાની લોકો પલાયન કરી રહ્યા છે. તાલિબાન લોકોને રોકાઈ જવા વિનંતી કરી રહ્યું છે પરંતુ દરેક વ્યક્તિ બહાર ભાગવા ઈચ્છે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/385BC9S
via IFTTT
ટિપ્પણીઓ નથી: