મુંબઈઃ પ્રેમી પંખીડાઓની હરકતોથી પરેશાન સોસાયટીના રહીશોએ લગાવ્યું 'નો કિસિંગ ઝોન'નું બોર્ડ


- સોસાયટીના રહીશોએ જણાવ્યું કે, તેઓ આ પ્રકારના યુગલોની વિરૂદ્ધ નથી પરંતુ તેમના ખોટા કામો સામે વાંધો છે

નવી દિલ્હી, તા. 02 ઓગષ્ટ, 2021, સોમવાર

મુંબઈના બોરીવલી વિસ્તારમાં પ્રેમી પંખીડાઓથી પરેશાન સત્યમ શિવમ સુંદરમ કોલોનીના રહેવાસીઓએ પોતાની સોસાયટી બહાર 'નો કિસિંગ ઝોન'ના બોર્ડ લગાવી દીધા છે. જાણવા મળ્યા મુજબ કોરોના લોકડાઉન શરૂ થયુ ત્યારથી સોસાયટીના લોકોએ સાંજે 5:00 વાગ્યાથી મોડી સાંજ સુધી બાઈક અને કારમાં પ્રેમી પંખીડાઓને અંતરંગ થતા જોયા હતા. 

સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે આ હરકતોના કારણે ત્યાં રહેતા બાળકો અને યુવાનો પર ખરાબ અસર પડી શકે છે. લોકોએ જણાવ્યું કે, આ પ્રકારની હરકતો રોકવા માટે તે લોકોએ સોસાયટી બહાર 'નો કિસિંગ ઝોન'નું બોર્ડ લગાવી દીધું છે. તેમના આ પગલાથી પ્રેમી પંખીડાઓની સંખ્યામાં ઘટાડો પણ નોંધાયો છે. 

સોસાયટીના રહીશોએ જણાવ્યું કે, તેઓ આ પ્રકારના યુગલોની વિરૂદ્ધ નથી પરંતુ તેમના ખોટા કામો સામે વાંધો છે. તેનાથી સમાજ પર ખરાબ અસર પડે છે. લોકોના કહેવા પ્રમાણે શરૂઆતમાં તેમણે પ્રેમી પંખીડાઓને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ જ્યારથી તે એક નિયમિત સ્થાન બની ગયું ત્યારથી તેમણે આ પગલું ભરવું પડ્યું. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lmYxFk
via IFTTT

ટિપ્પણીઓ નથી: