ઑર્ગન ફેલિયરના કારણે પ્રતિજ્ઞાના 'ઠાકુર સજ્જન સિંહ' અનુપમ શ્યામનું અવસાન


- અનુપમ શ્યામે દસ્તક, હજાર ચૌરાસી કી મા, દુશ્મન, સત્યા, દિલ સે, જખ્મ, સંઘર્ષ, લગાન, નાયક, શક્તિ, પાપ, જિજ્ઞાસા, રાજ, વેલડન અબ્બા, વોન્ટેડ, કજરારે અને મુન્ના માઈકલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું

નવી દિલ્હી, તા. 09 ઓગષ્ટ, 2021, સોમવાર

બોલિવુડ અને ટીવી જગતના લોકપ્રિય અભિનેતા અનુપમ શ્યામનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. મલ્ટિપલ ઑર્ગન ફેલિયરના કારણે પોપ્યુલર ટીવી શો મન કી આવાજ પ્રતિજ્ઞામાં ઠાકુર સજ્જન સિંહનો રોલ પ્લે કરનારા એક્ટર અનુપમ શ્યામનું અવસાન થયું છે. 

થોડા સમય પહેલા પણ અનુપમ શ્યામ પોતાની કથળી રહેલી તબિયતના કારણે ચર્ચામાં આવ્યા હતા. તે સમયે બોલિવુડ અને મનોરંજન જગત સાથે સંકળાયેલા લોકોએ તેમની મદદ કરી હતી. પરંતુ આ વખતે તેઓ જિંદગી સામેનો જંગ હારી ગયા હતા. તેઓ 63 વર્ષના હતા. 

પ્રતિજ્ઞા-2નું શૂટિંગ ચાલુ હતું

જાણવા મળ્યા મુજબ અનુપમ શ્યામ સ્ટાર ભારતના શો પ્રતિજ્ઞાની બીજી સીઝનનું શૂટિંગ કરી રહ્યા હતા. જોકે, પહેલેથી જ અનેક બીમારીઓએ તેમને જકડી રાખ્યા હતા. મુંબઈની લાઈફ લાઈન હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી. અનેક ઑર્ગન ફેલ થવાના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. રાતે 8:00 વાગ્યા આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડાયરેક્ટર અર્જુન પંડિત અને એક્ટર મનોજ જોશીએ અનુપમ શ્યામના મૃત્યુને લઈ શોક વ્યક્ત કર્યો હતો. 

અનુપમ શ્યામે દસ્તક, હજાર ચૌરાસી કી મા, દુશ્મન, સત્યા, દિલ સે, જખ્મ, સંઘર્ષ, લગાન, નાયક, શક્તિ, પાપ, જિજ્ઞાસા, રાજ, વેલડન અબ્બા, વોન્ટેડ, કજરારે અને મુન્ના માઈકલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ivC8ni
via IFTTT

ટિપ્પણીઓ નથી: