કોવિશીલ્ડ અને કોવેક્સિનના મિક્સ ડોઝનું પરીક્ષણ સફળ : આઈસીએમઆર


એક જ રસીના બન્ને ડોઝ કરતા અલગ અલગ રસીના બે ડોઝ પણ ફાયદાકારક

24 કલાકમાં કોરોનાના 39 હજાર કેસ, વધુ 491 લોકોના મોત : કેન્દ્રએ રાજ્યોને બાવન કરોડ ડોઝ આપ્યા

હવે વોટ્સએપ નંબર 9013151515 ઉપર એક મેસેજ મોકલવાથી મોબાઇલમાં જ રસીનું સર્ટિફિકેટ મળશે 

નવી દિલ્હી : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 39 હજાર કેસો સામે આવ્યા છે. જે સાથે જ 491 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. જ્યારે એક્ટિવ કેસો પણ ઘટીને 4 લાખે પહોંચ્યા હતા. અને રિકવરી રેટ વધીને 97.39 ટકા રહ્યો છે. બીજી તરફ બે રસીના મિક્સ ડોઝ પર એક સ્ટડી હાથ ધરવામાં આવી હતી. જેના સારા પરીણામ સામે આવ્યા છે.  

કોવિશીલ્ડ અને કોવેક્સિન નામની આ બન્ને રસીના ડોઝને મિક્સ કરીને તેના પર પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેના સકારાત્મક પરીણામ સામે આવ્યા છે. આઇસીએમઆર દ્વારા તેની જાણકારી આપવામાં આવી છે. આ સ્ટડીમાં કોવિશીલ્ડ અને કોવેક્સીનના મિક્સ ડોઝ પર અધ્યયન કરવામાં આવ્યું હતું. જેનું પરીણામ સકારાત્મક આવ્યું હતું. 

સંશોધનમાં સામે આવ્યું કે એક એડિનોવાઇરસ વેક્ટર પ્લેટફોર્મ આધારિત વેક્સીનના સંયોજન સાથે રસીકરણ બાદ નિષ્ક્રિય વાઇરસ વેક્સીન ન માત્ર સુરક્ષીત હતી સાથે સાથે તેનાથી ઇમ્યૂનોજેનેસિટી પણ પ્રાપ્ત થઇ હતી. સેંટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)ની કોવિડ-19 પર બનેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ પણ કોવિશીલ્ડ અને કોવેક્સિન બન્નેને મિક્સ કરીને ટ્રાયલની ભલામણ કરી હતી.

આ સ્ટડીમાં કુલ 98 લોકોને આવરી લેવાયા હતા. જેમાંથી 18 લોકોને પહેલા કોવિશીલ્ડ અને બાદમાં કોવેક્સિનની રસી અપાઇ હતી. જેનાથી પરીણામ એ સામે આવ્યું કે એક જ પ્રકારની રસીના બે ડોઝ કરતા અલગ અલગ રસીના બે ડોઝ લેવાથી સારી અસર જોવા મળી છે. 

બીજી તરફ હાલ કોરોનાની રસી લીધી હોવાના સર્ટિફિકેટ માગવાનું પ્રમાણ વધવા લાગ્યું છે. એવામાં રસીના ડોઝ લીધાનું સર્ટિફિકેટ મેળવવુ વધુ સરળ થઇ જશે. હવે માત્ર વોટ્સએપના માધ્યમથી જ સર્ટિફિકેટ મળી રહેશે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક નંબર જાહેર કર્યો છે.

9013151515 નામના નંબરને મોબાઇલમાં સેવ કરવાનો રહેશે. બાદમાં કોવિડ સર્ટિફિકેટ અંગ્રેજીમાં લખીને વોટ્સએપ કરવાનો રહેશે. બાદમાં ઓટીપી આવશે તે મોકલવાથી સેકંડમાં જ સર્ટિફિકેટ વોટ્સએપ પર જ મળી રહેશે. દરમિયાન કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં કોરોના રસીના 52 કરોડ ડોઝ રાજ્યો સુધી પહોંચતા કર્યા છે. 

કેરળમાં અનેક લોકોએ કિડની, લીવર વેચવાના બોર્ડ લગાવ્યા

કેરળમાં કોરોનાથી આર્થિક સંકટ વધ્યું, લોકો પોતાના વાહનો વેચવા મજબૂર

તિરૂવનંતપુરમ : કેરળમાં કોરોના વાઇરસના કેસો ઘટી નથી રહ્યા, જેને પગલે લોકોની આિર્થક સિૃથતિ નબળી થવા લાગી છે. પરિસિૃથતિ એવી છે કે કેટલાક લોકો આત્મહત્યા કરી રહ્યા છે અને કીડની પણ વેચવા મજબૂર થયાના અહેવાલો છે. 

હાલમાં જ તિરૂવનંતપુરમમાં એક સ્ટ્રીટ વેંડરે એક બોર્ડ લગાવ્યું હતું જેમાં લખ્યું હતું મારી કીડની અને લીવર એકદમ સ્વસૃથ છે અને તેને વેચવાના છે. એવી જ રીતે કેટલાક લોકો પોતાના મકાન, વાહનો વગેરેને પણ વેચવા કાઢી રહ્યા છે. આિર્થક સિૃથતિ નબળી પડવાને કારણે લોકો આમ કરી રહ્યા છે. 

કેરળમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. પરિસિૃથતિને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન પણ લાગુ કર્યું છે. જોકે તેમ છતા કોઇ જ ફરક નથી પડી રહ્યો. સરકાર દ્વારા લોકોને આિર્થક મદદ માટે પેકેજ પણ જાહેર થઇ રહ્યા છે. જોકે તેની અસર બહુ જ સામાન્ય જોવા મળી રહી છે. પર્યટન ઉધ્યોગ પણ ઠપ છે અને માર્કેટમાં મંદીનો માહોલ છે. એવામાં લોકો હવે કીડની વેચવા પણ મજબૂર થયા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iwjgoa
via IFTTT

ટિપ્પણીઓ નથી: