અફઘાનિસ્તાનની ઘટનાઓએ દર્શાવ્યુ છે કે, CAA કેમ જરુરી છેઃ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી


નવી દિલ્હી,તા.22.ઓગસ્ટ,2021

અફઘાનિસ્તાનમાં થયેલા સત્તા પરિવર્તન બાદ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ એક ટ્વિટ કરીને કહ્યુ છે કે, અફઘાનિસ્તાનની સ્થિતિ બતાવી રહી છે કે, ભારતમાં સીએએના કાયદાની જરુર કેમ છે.

તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે, સીએએ એટલે કે સિટિઝન એમેડમેન્ટ એકટનુ મહત્વ શું છે.ઉલ્લેખનીય છે કે, આ કાયદા હેઠળ ભારત સરકારે પાડોશી દેશોમાં રહેતી લઘુમતી એટલે કે હિન્દુ, બૌધ્ધ , જૈન, પારસી, ખ્રિસ્તી અને સિખ લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે.

હરદીપસિંહ પુરીએ અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવતા લોકોના અહેવાલને શેર કરતા કહ્યુ તહુ કે, આપણા પાડોશી દેશની ઘટનાઓ અને ત્યાં રહેતા હિન્દુ અને સિખ જે પ્રકારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે તે બતાવે છે કે ,સીએએની જરુર કેમ છે.

સીએએ હેઠળ સરકારે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છ લઘુમતી સમુદાયોના લોકોને ભારતની નાગરિકતા આપવાનો પ્રસ્તાવ મુક્યો છે.હાલના કાયદા પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ નાગરિકતા લેવા માટે ભારતમાં ઓછામાં ઓછા 11 વર્ષ રહેવુ જરુરી છે.જ્યારે સીએએ હેઠળ આ સમય મર્યાદા ઘટાડીને 6 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે.

સીએએને સંસદમાંથી પસાર કરી દેવાયો છે પણ હજી સુધઈ તેને સરકારે લાગુ કર્યો નથી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3D6muqQ
via IFTTT

ટિપ્પણીઓ નથી: