'રામ લલ્લા'એ પોતાના ભાઈઓ સાથે ધારણ કર્યા નવા વસ્ત્રો, આજના દિવસે જ PM મોદીએ રાખી હતી રામ મંદિરની આધારશિલા

- વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે મંદિર પરિસરના કાર્યક્રમમાં સામેલ થશે અને કેટલીક મોટી જાહેરાત કરે તેવી શક્યતા
નવી દિલ્હી, તા. 05 ઓગષ્ટ, 2021, ગુરૂવાર
અયોધ્યા માટે આજનો દિવસ ઐતિહાસિક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગષ્ટ, 2020ના રોજ પોતાના હાથ વડે રામ મંદિરની આધારશિલા રાખી હતી. તે ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. તેના અનુસંધાને રામ જન્મભૂમિ પરિસરમાં ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમાં સામેલ થશે. રામ લલ્લાએ આજે નવીન વસ્ત્રો ધારણ કર્યા છે.
ભાઈઓ સાથે રામ લલ્લાએ પીળા વસ્ત્રો ધારણ કર્યા
રામ લલ્લાએ આજે પીળા રંગના સિલ્ક હેન્ડલૂમમાંથી બનેલા વસ્ત્રો ધારણ કર્યા છે. રામ લલ્લાએ પોતાના ભાઈઓ સાથે પીળા વસ્ત્રો ધારણ કર્યા છે. આ વસ્ત્રને દિલ્હીના ખાદી ડિઝાઈનર મનીષ ત્રિપાઠીએ તૈયાર કર્યા છે. આ વસ્ત્ર પર શ્રદ્ધા ભાવ સાથે ભરતકામ કરવામાં આવેલું છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોરના સમયે રામ જન્મભૂમિ પરિસરમાં અંદર રામ લલ્લાના દર્શન કરશે અને આરતી કરશે. રામ જન્મભૂમિ પરિસરમાં રામ લલ્લાના કામચલાઉન ભવનને રંગબેરંગી ફૂલો વડે શણગારવામાં આવ્યું છે. આજે રામનગરી અયોધ્યા અને મંદિર પરિસરમાં અનેક કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે સામેલ થશે. ઉપરાંત વડાપ્રધાન મોદી કેટલીક મોટી જાહેરાત કરે તેવી પણ શક્યતા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fxCKa8
via IFTTT
ટિપ્પણીઓ નથી: