દિલ્હી: UNHCR ઓફિસ બહાર અફઘાનીઓનુ પ્રદર્શન, સ્થાનિક લોકોને કોરોનાનો ડર

કાબુલ, તા. 24 ઓગસ્ટ 2021 મંગળવાર
અફઘાનિસ્તાનમાં જારી સંઘર્ષની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. અહીં દિલ્હીમાં કેટલાક અફઘાનીઓએ વિરોધ પ્રદર્શન કરવાનુ શરૂ કરી દીધુ છે. UNHCRના ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. ન્યાયની માગ કરવામાં આવી રહી છે પરંતુ આ વિરોધ પ્રદર્શનનુ બીજુ પાસુ એ પણ છે જેના કારણે વસંત વિહારના સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. તેમને કોરોના સંક્રમણનો ડર છે.
અફઘાનીઓનુ પ્રદર્શન, લોકો કેમ પરેશાન?
UNHCRના ઑફિસ બહાર અફઘાની નાગરિક સંયુક્ત રાષ્ટ્ર એજન્સી પાસે માગ કરી રહ્યા છે કે તેમણે બીજા દેશોમાં રહેવા માટે ઈમિગ્રેશન લેટર જારી કર્યુ છે. આ સાથે જ રિફ્યુજી સ્ટેટસ/કાર્ડની પણ માગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે દેશની રાજધાનીમાં આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે પરંતુ વસંત વિહારના સ્થાનિક લોકો ફસાઈ ગયા છે. તે આ અફઘાનીઓનુ સમર્થન તો કરી રહ્યા છે પરંતુ તેમને એ વાતની ફરિયાદ છે કે આ લોકો કોરોના પ્રોટોકોલનુ પાલન કરી રહ્યા નથી. પ્રદર્શન દરમિયાન કોઈએ પણ માસ્ક પહેર્યુ નથી.
આ વિશે સ્થાનિક શખ્સે કહ્યુ કે અમે નથી ઈચ્છતા કે આ અફઘાનીઓ પર કોઈ પણ પ્રકારના બળનો ઉપયોગ કરવામાં આવે. આ લોકોએ ઘણુ સહન કર્યુ છે. આ પહેલેથી પરેશાન છે. આશા છે કે આ સમસ્યાનુ સમાધાન જલ્દી નીકળે કેમ કે અહીં બેસેલા પ્રદર્શનકારી માસ્ક પહેરી રહ્યા નથી. સોશ્યલ ડિસ્ટન્સિંગનો પણ ખ્યાલ નથી. એવામાં અમને કોરોના ફેલાવાની પણ ચિંતા છે. રસ્તા પર દરેક જગ્યાએ કચરો પણ ફેંકવામાં આવી રહ્યો છે.
લાંબુ ચાલી શકે છે પ્રદર્શન
કોરોનાનુ જોખમ જરૂર છે પરંતુ પ્રદર્શન કરી રહેલા અફઘાની પોતાની માગને પૂરી કર્યા વિના હટવા તૈયાર નથી. તે એક લાંબી લડત માટે તૈયાર જોવા મળી રહ્યા છે. અહીં હાજર અફઘાન રિફ્યુજી અહેમદ ખાન અંજામનુ કહેવુ છે કે અમે ત્યાં સુધી પ્રદર્શન કરીશુ, જ્યાં સુધી અમારી માગ પૂરી થઈ જાય નહીં. કેટલીક રિફ્યુજીનુ એ પણ કહેવાનુ છે કે જો અમારી માગને પૂરી કરવામાં નહીં આવે તો હવે ભૂખ હડતાળ કરવામાં આવશે. જોકે, આ લોકોએ ભારત સરકારનો આભાર માન્યો હતો, પરંતુ UNHCR પર પ્રશ્નો ઉભા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jdqA8U
via IFTTT
ટિપ્પણીઓ નથી: