સરકારી કર્મચારીઓ-પેન્શનરના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો

ગુજરાત સરકારની જાહેરાત : ડીએ 17 ટકાથી વધારી 28 ટકા કરાયું
5.09 લાખ કર્મચારીઓ અને 4.50 લાખ પેન્શનર્સને લાભ મળશે : સરકારી તિજોરી પર 378 કરોડનો બોજ
અમદાવાદ : ભારત સરકારની માફક ગુજરાત સરકારે પણ તેના નવ લાખ જેટલા અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્ને મળતા મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રીએ કરી છે. તેમનું મોંઘવારી ભથ્થું 11 ટકા વધીને 28 ટકા કરી દેવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે સરકારી કર્મચારીઓને અત્યાર સુધી 17 ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું. હવે તેમાં 11 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થાનો વધારો સપ્ટેમ્બર મહિનાના પગાર સાથે જ ચૂકવવામાં આવશે. જુલાઈ માસથી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ઓક્ટોબર મહિનાના પગાર સાથે આપવામાં આવશે.
આ જ રીતે ઓગસ્ટ માસમાં મળવાપાત્ર એરિયર્સનું ચૂકવણું જાન્યુઆરી 2022ના પગાર સાથે કરવામાં આવશે. ગુજરાત સરકારના આ નિર્ણયને પરિણામે સરકારની તિજોરી પર મહિને અંદાજે રૂા. 378 કરોડનો બોજ આવશે.
આ નિર્ણયને લાભ અંદાજે 9,61,638 કર્મચારીઓને મળશે. તેમાં રાજ્ય સરકારના 5,11,1129 કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમાં મોટા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પંચાયતના કર્માચારીઓનો સમાવેશ થાય છે. મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ 4.50,509 પેન્શનર્સને પણ મળશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WUOld9
via IFTTT
ટિપ્પણીઓ નથી: