પંજાબના મુખ્યમંત્રી પદે ચરણજીતસિંહ ચન્નીનું નામ જાહેર


ચંદીગઢ, તા. 19 સપ્ટેમ્બર 2021 રવિવાર

પંજાબના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થઈ ગયું છે. ચરણજીત સિંહ ચન્નીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેમને કોંગ્રેસ વિધાયક દળના નેતા તરીકે જાહેરાત કરવામાં આવી છે.

પંજાબ રાજકારણને લઈને હાલમાં મોટા સમાચાર આવ્યા છે. પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપી દીધા બાદ નવા મુખ્યમંત્રીની પસંદગીને લઈને નવા નવા ક્યાસ લગાવામાં આવી રહ્યા હતા. આ વચ્ચે હવે સુખજિંદર સિંહ રંધાવાનું નામ પર સંમતિ થઈ હોય તેવું લાગી રહ્યું હતું.

પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે છેલ્લાં કેટલાય મહિનાથી ચાલી રહેલો સત્તા સંઘર્ષ આખરે અંતિમ ચરણ પર પહોંચ્યો અને ચૂંટણી પહેલા જ કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપવું પડ્યું છે. ત્યારે હવે કોંગ્રેસ રાજ્યમાં ચૂંટણી પહેલા કોને મુખ્યમંત્રી બનાવે છે તે જોવાનું રહ્યું.

પંજાબ કોંગ્રેસના મહાસચિવ પ્રગટ સિંહે ધારાસભ્ય દળની બેઠક રદ્દ થઈ હોવાની માહિતી આપી હતી. પાર્ટી હવે સૌથી પહેલા મુખ્યંમત્રી પદના નામ પર એકજૂથતા સાધવા પ્રયત્ન કરી રહી છે. અંબિકા સોનીએ પોતાના આ નિર્ણય પાછળ સ્વાસ્થ્યનું કારણ દર્શાવ્યું હતું. પાર્ટીના તમામ લોકોએ અંબિકા સોનીને વારંવાર મુખ્યમંત્રી પદ સંભાળવા માટે અને તેમના નામ માટે સરળતાથી સર્વસંમતિ બનશે તેમ જણાવ્યું હતું પરંતુ તેમણે એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. અંબિકા સોની દિલ્હી જ છે અને તેઓ ચંદીગઢ નથી જઈ રહ્યા. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zlNfVi
via IFTTT

ટિપ્પણીઓ નથી: