યુદ્ધ અટકાવવા ભારત મધ્યસ્થી કરી શકે : રશિયન વિદેશમંત્રી લાવરોવ


ભારતની મુલાકાતે આવેલા રશિયાના વિદેશ મંત્રીએ ભારતની નીતિના ભરપેટ વખાણ કર્યા

ભારતને સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ આપીશું,અમારી પાસેથી ભારત ઇચ્છે તે ખરીદી શકે, અમે રૂપિયામાં પણ વેપાર માટે તૈયાર : રશિયાની ખાતરી

દેશો વચ્ચે શાંતિ સ્થપાય તે માટે ભારત કોઇ પણ પ્રકારનું યોગદાન આપવા માટે તૈયાર છે : મોદી

નવી દિલ્હી : ભારતની વિદેશ નીતિ કોઇની મોહતાજ નથી, આ વિદેશ નીતિમાં રહેલી સ્વતંત્રતા જ તેની ખાશિયત છે. અમેરિકાને ભલે આ સમજમાં ન આવી રહ્યું હોય પણ રશિયાને તે સમજાઇ ગયું છે. યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ ભારતની મુલાકાત માટે આવ્યા છે.

તેઓએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી અને બાદમાં પ્રેસ કોન્ફરંસમાં કહ્યું હતું કે મને લાગી રહ્યું છે કે ભારતીય વિદેશ નીતિના કેંદ્રમાં વાસ્તવિક રાષ્ટ્રીય હિત છે અને ભારત કોઇના દબાણમાં કામ નથી કરતો.

તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે રશિયા અને યૂક્રેન વચ્ચે વાતચીત માટે ભારત મધ્યસૃથી કરી શકે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે શાંતિ સૃથાપવા માટે ભારત કોઇ પણ યોગદાન આપવા તૈયાર છે.  રશિયા અને યૂક્રેનના યુદ્ધને મહિનાથી વધુનો સમય વીતી ગયો છે. બન્ને વચ્ચે વાતચીતના પ્રયાસો થઇ રહ્યા છે પણ કોઇ મેળ નથી પડી રહ્યો.

આ સિૃથતિ વચ્ચે ભારત આવેલા રશિયાના વિદેશ મંત્રીએ એક મોટુ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ભારત રશિયા અને યૂક્રેનના યુદ્ધને સમાપ્ત કરાવી શકે તેમ છે. અમેરિકા વારંવાર ભારતને રશિયા પાસેથી હિથયારો ન ખરીદવા માટે દબાણ કરતુ આવ્યું છે. આ સિૃથતિ વચ્ચે રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ભારત એક એવો દેશ છે કે જે કોઇ અન્ય દેશના દબાણને ધ્યાનમાં નથી લેતો અને પોતાની સ્વતંત્ર વિદેશ નિતિને વળગી રહે છે. 

યુક્રેન સાથે યુદ્ધ અંગેના એક સવાલના જવાબમાં રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે રશિયા અને યુુક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવવામાં ભારત મધ્યસૃથી કરી શકે છે અને કોઇ નિરાકરણ પણ કાઢી શકે તેમ છે.

સાથે તેમણે ભારતના ખુબ વખાણ પણ કર્યા હતા અને કહ્યું હતું કે ભારત કોઇનાથી ડરી જાય તેવો દેશ નથી, ભારત અમારી પાસેથી જે પણ ખરીદી કરવા માગતું હોય તે આપવા માટે અમે તૈયાર છીએ. ભારત અને રશિયા વચ્ચે બહુ જ સારા સંબંધો છે. 

સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ભારત સાથે રશિયા સૃથાનિક ભારતીય રૂપિયામાં પણ વેપાર કરવા માટે તૈયાર છે. અમે અમારી વેપારની નિતિમાં ફેરફાર કર્યા છે અને નેશનલ કરન્સીનો પણ સ્વિકાર કરવા માટે અમે તૈયાર છીએ.  આ સાથે જ સસ્તા ભાવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીનો માર્ગ પણ મોકળો થઇ ગયો છે. રશિયાના વિદેશમંત્રીએ કહ્યું છે કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરવા માગતું હોય તો અમે દરેક અવરોધોને દુર કરી દેવા માટે તૈયાર છીએ. અમેરિકાના પ્રતિબંધો, પેમેંટ સિસ્ટમ સુધીના દરેક રસ્તા અમે કાઢી આપીશું. રશિયાના વિદેશ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પણ મુલાકાત કરી હતી. 

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે શાંતિ જળવાઇ રહે તે માટે ભારત કોઇ પણ પ્રકારનું યોગદાન આપવા માટે તૈયાર છે. મોદીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવવા માટે ભારત મધ્યસૃથતા કરી શકે. મોદી અને રશિયાના વિદેશ મંત્રી વચ્ચે 40 મિનિટ સુધી વાતચીત થઇ હતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/UN9KRcG
via IFTTT

ટિપ્પણીઓ નથી: