PM મોદીની માતા હિરાબાનું અવસાન

અમદાવાદ,તા.30 ડિસેમ્બર-2022, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાનું અમદાવાદની હોસ્પિટલમાં આજે સવારે અવસાન થયું છે. વડાપ્રધાનએ ટ્વિટ સંદેશામાં જણાવ્યું છે કે, હિરાબા 100 વર્ષના હતા અને મુલ્યો માટે સમર્પિત તેમજ નિસ્વાર્થ કર્મયોગી હતા. પોતાની માતાના 100માં જન્મ દિવસની મુલાકાતને યાદ કરીને વડાપ્રધાનએ જણાવ્યું છે કે, તેઓ હંમેશા પવિત્રતા સાથે જીવન જીવવા અને પૂર્ણ બૌદ્ધિક ક્ષમતાથી કામ કરવા હંમેશા પ્રોત્સાહન આપતા હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iXC4u6o
via IFTTT

ટિપ્પણીઓ નથી: