ગુજરાતમાં આજે 16 નવા કેસ, 28 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, એક પણ મોત નહીં
ગાંધીનગર, 11 ઓગસ્ટ 2021 બુધવાર
રાજ્યમાં કોરોના સંક્રમણ હવે હાંફી રહ્યું છે, આજે કોરોનાનાં માત્ર 16 નવા કેસ નોંધાયા છે જ્યારે આજે પણ કોરોનાથી એક પણ મોત નોંધાયું નથી. રાજ્યમાં હાલ 194 એક્ટિવ કેસ છે અને 3 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 191 દર્દીઓની હાલત સ્ટેબલ છે, રાજ્યમાં આજે વધુ 28 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,830 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10077 એ પહોચ્યો છે, રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા છે.
રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 7, સુરત શહેરમાંથી 3, વડોદરા શહેરમાંથી 3, ગીર સમોનાથ, જામનગર કોર્પોરેશન, નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે.આમ, દૈનિક કેસના 50%થી વધુ માત્ર અમદાવાદ-સુરતમાંથી નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
સમગ્ર રાજ્યમાં 10 જિલ્લા એવા છે જ્યાં હવે કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી અને તેમાં અરવલ્લી, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, મોરબી, નર્મદા, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને પંચમહાલનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 3,24,168 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં આજે 63 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ, 10172 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને બીજો ડોઝ, 45થી વધુ ઉંમરના 34610 લોકોને પ્રથમ ડોઝ, 45થી વધુ ઉમરના 159960 લોકોને બીજો ડોઝ. 18-45 સુધીના 93,157 લોકોને પ્રથમ ડોઝ તથા 18 થી 45 વર્ષ સુધીના 26,206 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો કુલ આંક 3,79,56,872 પર પહોંચ્યો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xf4aeF
via IFTTT
ટિપ્પણીઓ નથી: