રાજ્યસભામાં પણ ઓબીસી બિલ પસાર રાજ્યોને પોતાની યાદી બનાવવાની છૂટ

વિપક્ષે ઓબીસી બિલ મુદ્દે બન્ને ગૃહોમાં સરકારને સાથ આપ્યો
ચોમાસુ સત્ર બે દિવસ વહેલું પૂરૂં કરી દેવાયું : લોકસભામાં 21 કલાક જ કામગીરી થઇ શકી, 20 બિલ સરકારે પસાર કરી લીધા
રાજ્યસભામાં હંગામો કરીને સર્વોચ્ચ મંદિરની પવિત્રતાનો ભંગ કરવામાં આવ્યો : નાયડુ ભાવુક થયા
રાજ્યસભામાં હોબાળો મચાવનારા સાંસદો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે : મંત્રી ગોયલની માગ
નવી દિલ્હી : રાજ્યોને અનામત માટે ઓબીસીની યાદી તૈયાર કરવાના અિધકારો આપતુ બિલ લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ પસાર કરી દેવામાં આવ્યું હતું. હવે આ બિલને રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરવામાં આવશે જેમની મંજૂરી સાથે જ રાજ્યો નાગરિકોની ઓબીસી યાદી ખુદ તૈયાર કરી શકશે. આ યાદી માટે રાજ્યોએ કેન્દ્ર પર નિર્ભર નહીં રહેવું પડે. વિપક્ષે પણ આ બિલને બન્ને ગૃહોમાં સમર્થન આપ્યું હતું.
રાજ્યસભામાં જ્યારે આ બિલ રજુ કરવામાં આવ્યું ત્યારે તેના પર શાંતિથી ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસા સત્રમાં બીજી વખત એવુ બન્યું કે ચર્ચા દરમિયાન કોઇ જ હંગામો નહોતો થયો. આ સાથે જ ચોમાસુ સત્ર પણ પૂર્ણ થઇ ગયું હતું,
આ દરમિયાન લોકસભા માત્ર 21 કલાક સુધી જ ચાલી હતી. જ્યારે માત્ર 22 ટકા જ કામકાજ થઇ શક્યું હતું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સવારે કાર્યવાહી શરૂ કરી હતી, જે સાથે જ કહ્યું હતું કે 17મી લોકસભાની છઠ્ઠી બેઠક 19 જુલાઇ 2021ના રોજ શરૂ થઇ હતી,
આ સત્રમાં 17 બેઠકો દરમિયાન 21 કલાક અને 14 મિનિટ જ સંસદમાં કામકાજ થઇ શક્યું હતું. અપેક્ષા અનુસાર કામગીરી ન થઇ શકી. બિરલાએ કહ્યું કે હંગામાને પગલે 96 કલાકમાંથી 74 કલાક કામકાજ ન થઇ શક્યું. આ સાથે જ સંસદમાંથી કુલ 20 બિલને પસાર કરવામાં આવ્યા હતા.
ચાર નવા સાંસદોએ શપથ લીધા હતા, સાંસદોએ 377 મામલા ઉઠાવ્યા હતા. જ્યારે 66 પ્રશ્નોનો મૌખીક જવાબ આપવામાં આવ્યો હતો. સંસદમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રીય મંત્રીઓ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિપક્ષના નેતાઓ હાજર રહ્યા હતા.
લોકસભાની જેમ રાજ્યસભાની કામગીરીની જાણકારી પણ અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આપી હતી. મંગળવારે સંસદમાં જે હંગામો રાજ્યસભામાં થયો હતો તેનો ઉલ્લેખ કરીને નાયડુએ કહ્યું હતું કે મને રાતભર ઉંઘ નથી આવી, લોકશાહીના સર્વોચ્ચ મંદિરની પવિત્રતાને ભંગ કરવામાં આવી.
મંગળવારે કેટલાક સાંસદો રાજ્યસભામાં ભાન ભુલીને મેજ પર ચડી ગયા હતા અને કપડા લહેરાવ્યા હતા. જ્યારે કેટલાકે હાથમાં રહેલા દસ્તાવેજો પણ ફેક્યા હતા. આ સમગ્ર ઘટનાનો કેટલાક સાંસદો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવા લાગ્યા હતા. જેને પગલે નાયડુએ આ નિવેદન આપ્યું હતું.
દરમિયાન ચોમાસુ સત્રમાં સૌથી વધુ હંગામો પેગાસસ ફોન ટેપિંગ અને જાસુસી મામલે થયો હતો જ્યારે કૃષિ કાયદા પરત લેવા જેવા મુદ્દા પણ ઉઠાવવામાં આવ્યા હતા. દરમિયાન રાજ્યસભામાં હંગામો મચાવનારા સાંસદો સામે કાર્યવાહીની માગણી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવી હતી.
અનામતમાં 50 ટકાની મર્યાદા હટાવવાની રાજ્યસભામાં માગ
નવી દિલ્હી : હાલ મહત્તમ 50 ટકા અનામત આપી શકાય છે. જેને પગલે આ મર્યાદાને હટાવવાની માગણી રાજ્યસભામાં સાંસદો દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક સાંસદોએ માગણી કરી હતી કે ઓબીસી અનામતનો યોગ્ય લોકો સુધી લાભ પહોંચી શકે તે માટે વસતી ગણતરીમાં જાતી આધારીત આિર્થક સિૃથતિનો પણ ઉમેરો કરવો જોઇએ.
એસપી નેતા રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે ઓબીસી સુધારા બિલનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવો હોય તો જાતી આધારીત આિર્થક સિૃથતિની જાણકારીનો સમાવેશ વસતી ગણતરીમાં કરવો જોઇએ. જેમાં બાળકોનું શિક્ષણ, પાકુ મકાન છે કે કાચુ વગેરે માહિતી પણ આવરી લેવી જોઇએ. સાથે તેમણે અનામત માટેની 50 ટકાની મર્યાદા છે તેને હટાવવાની માગણી પણ કરી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jQOuGl
via IFTTT
ટિપ્પણીઓ નથી: