ગુજરાતમાં આજે કોરોનાનાં નવા 17 કેસ, એક દર્દીનું મોત, કુલ મૃત્યુઆંક 10078
ગાંધીનગર, 12 ઓગસ્ટ 2021 ગુરૂવાર
રાજ્યમાં આજે કોરોનાનાં માત્ર 17 કેસ નોંધાયા છે. જ્યારે ઘણા દિવસો બાદ આજે કોરોનાનાં કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં હાલ 182 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 28 દર્દીઓને રજા આપવામાં આવી છે. તો 178 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કુલ 8,14,858 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત આજે એક મોત સાથે કુલ મોતનો આંકડો 10078 પર પહોંચ્યો છે.રાજ્યમાં હાલ રિકવરી રેટ 98.76 ટકા છે.
રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે જેમ કે અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 8, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, આણંદ 1, દેવભૂમિ દ્વારકા 1 અને રાજકોટમાં 1 કેસનો સમાવેશ થાય છે.
જ્યારે આ કેટલાક જિલ્લાઓ એવા છે, જ્યાં આજે એક પણ કેસ નોંધાયો નથી જેમાં અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન,જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી વડોગરા અને વલસાડ મુખ્ય છે.
રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે 6,33,789 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે 144 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ, 5416 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને બીજો ડોઝ, 45થી વધુ ઉંમરના 137451 લોકોને પ્રથમ ડોઝ, 45થી વધુ ઉમરના 73656 લોકોને બીજો ડોઝ. 18-45 સુધીના 397908 લોકોને પ્રથમ ડોઝ તથા 18 થી 45 વર્ષ સુધીના 19214 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 3,85,90,661 પર પહોંચ્યો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VUuYAu
via IFTTT
ટિપ્પણીઓ નથી: