ગુજરાતમાં આજે માત્ર 23 કેસ નોંધાયા, 27 દર્દીઓ સાજા થયા, કુલ મૃત્યુઆંક 10,078

ગાંધીનગર, 13 ઓગસ્ટ 2021 શુક્રવાર

રાજ્યમાં કોરોના સંક્રમણ હવે ઘટી રહ્યું છે, આજે કોરોનાના નવા માત્ર 23 કેસ નોંધાયા છે. આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી, તેથી કુલ મૃત્યુઆંક 10,078 પર સ્થિર છે, જ્યારે 27 દર્દીઓને રજા આપવામાં આવી છે, રાજ્યમાં હાલ કુલ 178 એક્ટિવ કેસ છે, જ્યારે 07 વેન્ટીલેટર પર છે. 171 દર્દીની હાલત સ્ટેબલ છે, અત્યાર સુધીમાં 8,14,885 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે, રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 98.76 છે. 

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે જેમ કે, અમદાવાદ કોર્પોરેશનમાં 6 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશન 5, સુરત 3, અમદાવાદ 1, દાહોદ 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જુનાગઢ કોર્પોરેશન 1 અને નવસારી 1 એમ કુલ 23 કેસ નોંધાયા છે.  

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 97 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4726 કર્મચારીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,27,356 નાગરિકોને રસીનો પ્રથમ અને 61,829 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 3,81,507 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 22,233 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો, આજે કુલ 5,97,748 રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 3,91,88,409 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AIEiqe
via IFTTT

ટિપ્પણીઓ નથી: