દેશમાં રસીકરણનો આંકડો 50 કરોડને વટાવી ગયો, એક જ દિવસમાં 43 લાખથી વધુએ રસી લગાવી
નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2021 શુક્રવાર
ભારતમાં કોરોના વાયરસ મહામારી સામે યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં રસીકરણનો આંકડો 50 કરોડને વટાવી ગયો છે. માત્ર શુક્રવારે જ 43.29 લાખથી વધુ રસીકરણ થયું.
જ્યારે 18-44 વય જૂથમાં, અત્યાર સુધીમાં 18.35 કરોડથી વધુ રસીનાં ડોઝ લગાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાન આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે સંસદમાં આંકડા દ્વારા જણાવ્યું કે આપણે કેવી રીતે રસીકરણ તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે દેશમાં રસીનો આંકડો 0-10 કરોડ નો સ્પર્શ કરવામાં 85 દિવસ લાગ્યા, 10-20 કરોડમાં 45 દિવસ લાગ્યા, 20-30 કરોડમાં 29 દિવસ, 30-40 કરોડમાં 24 દિવસ અને 50 કરોડ રસીકરણમાં માત્ર 20 દિવસ લાગ્યા છે.
આ સાથે જ, તેમણે કહ્યું કે રસીકરણની ઝડપ વધુ વધશે. જ્યારે વડાપ્રધાને કહ્યું કે રસીકરણની ગતિ આ રીતે ચાલુ રાખવી પડશે.
PM @NarendraModi जी के '#SabkoVaccineMuftVaccine' अभियान से आज देश ने 50 करोड़ टीकाकरण का आँकड़ा पार कर लिया है।
— Mansukh Mandaviya (@mansukhmandviya) August 6, 2021
भारत को
0-10 करोड़ का आँकड़ा छूने में 85 दिन
10-20 करोड़ में 45 दिन
20-30 करोड़ में 29 दिन
30-40 करोड़ में 24 दिन
और 50 करोड़ टीकाकरण में केवल 20 दिन लगे pic.twitter.com/pNqcUvxEqA
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CoaJMg
via IFTTT
ટિપ્પણીઓ નથી: