કોરોનાથી સાવચેત રહેવાની ખૂબ જરૂર, આગામી 6 મહિના મહત્વનાં: WHO
નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2021 શુક્રવાર
દેશમાં કોરોનાની ગતિ ધીમી થતાં જ રાજ્યોએ તેને નિયંત્રણો હળવા કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક રાજ્યોમાં શાળાઓ અને કોલેજો ખુલી છે, જ્યારે ઘણા રાજ્યો ટૂંક સમયમાં ખોલવા જઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો હવે કહી રહ્યા છે કે કોરોનાની ઝડપ ચોક્કસપણે ઘટી છે, પરંતુ ખતરો હજુ પણ તોળાઈ રહ્યો છે. એટલું જ નહીં, આગામી કેટલાક સપ્તાહમાં જ ત્રીજી લહેરની આશંકા છે.
જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ની મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામીનાથને મહત્વનું નિવેદન કરતા કહ્યું છે કે કોરોના સામે રક્ષણ માટે આગામી 6 મહિના ખૂબ મહત્વના છે. જો ત્યાં સુધી રસીકરણનો દર સારો રહ્યો તો, કોરોનામાં સુધારો ચોક્કસ જોવા મળશે
તમામ કોરોના પ્રોટોકોલનું પાલન કરો: WHO
ડો.સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે હવે તમામ દેશોએ કોરોના પ્રોટોકોલ જાળવવો જોઈએ. હવે તમારે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ, બેદરકારી ન રાખવી જોઈએ. કોરોના અંગે આગામી કેટલાક મહિનાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VuxRHP
via IFTTT
ટિપ્પણીઓ નથી: