લોકો માટે હિતકારી બજેટ છે, ૬૦ લાખ નોકરીઓની તકો ઉભી થશે : મોદી


૧૦૦ વર્ષની ભયંકર આપદા વચ્ચે બજેટ વિકાસનો નવો વિશ્વાસ લઇને આવ્યું 

છેલ્લા બે વર્ષમાં ટેક્સ રેટમાં કોઇ વધારો નથી કર્યો : આમ આદમીને ટેક્સમાં રાહત ન મળવા અંગે નાણા મંત્રીનો બચાવ

નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સિતારામને બજેટ રજુ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે જવાબ આપતા કહ્યું કે આ બજેટ ૧૦૦ વર્ષની ભયંકર આપદાઓ વચ્ચે વિકાસનો નવો વિશ્વાસ લઇને આવ્યું છે.

આ બજેટ આૃર્થવ્યવસૃથાને મજબૂતી આપવાની સાથે સાથે સામાન્ય માનવી માટે અનેક નવા અવસર ઉભા કરશે. તેમણે કહ્યું કે આ બજેટ આધુનિક પાયાનું માળખુ, વધુ રોકાણ, વધુ વિકાસ અને વધુ નોકરીઓમાં નવી શક્યતાઓથી ભરેલો છે. તેનાથી ગ્રીન જોબ્સનું ક્ષેત્ર પણ ખુલશે. 

સાથે જ મોદીએ કહ્યું હતું કે બજેટ આપણા યુવાઓ માટે એક મજબૂત ભવિષ્યનું આશ્વાસન આપે છે. જે રીતે આપણા બજેટને સ્વીકૃતિ મળી છે તેનાથી ભારતના લોકોની સેવા કરવા માટે અમારી આત્માઓને સશક્ત બનાવ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મૂ-કાશ્મીર, નોર્થ ઇસ્ટ જેવા ક્ષેત્રો માટે પહેલી વખત દેશમાં પર્વતમાળા યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના પહાડો પર ટ્રાંસપોર્ટેશનની આધુનિક વ્યવસૃથાનું નિર્માણ કરશે. તેને જ ધ્યાનમાં રાખીને પર્વતમાળા યોજના શરૂ કરવામાં આવી રહી છે.

મોદીએ સાથે એવો પણ દાવો કર્યો હતો કે ખેડૂતોના હિત માટે મહત્તપૂર્ણ પગલા ઉઠાવવામાં આવ્યા છે. જ્યારે નાણા પ્રધાન નિર્મલા સીતારામને કહ્યંુ હતું કે આ બજેટ આ લોકોનું છે. બે વર્ષથી ટેક્સમાં કોઇ જ વધારો નથી કરવામાં આવ્યો જેનાથી આમ નાગરિકોને મોટી રાહત મળશે.

જ્યારે નિર્મલા સિતારામનને પૂછવામાં આવ્યંુ કે મધ્યમ વર્ગને ટેક્સમાં કેમ કોઇ રાહત આ બજેટમાં નથી આપવામાં આવી ત્યારે તેમણે કહ્યું  હતું કે કોરોના મહામારી સમયે જનતા ઉપર ટેક્સનો બોજ નથી નાખવો. આ મહામારી સમયે પણ સરકારે ટેક્સ રૂપે જનતા પાસેથી એક રૂપિયો પણ નથી વસૂલ્યો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TZ90GCkeF
via IFTTT

ટિપ્પણીઓ નથી: