ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જીવલેણ 'ડેલ્ટા વેરિઅન્ટ' જવાબદાર
નવીદિલ્હી, 4 જુન 2021 શુક્રવાર
ઇન્ડિયન સાર્સ - કોવ - ટુ કોન્સોર્ટિયમ ઓન જિનોમિક્સ (ઇન્સાકોગ) એ હાથ ધરેલા અભ્યાસમાં આમ જણાવીને ઉમેરાયું છે કે B.1.617 વેરિઅન્ટ અને એના વંશરૂપ B.1.617.2 ના લીધે કોરોના કેસમાં ભારે ઉછાળો આવ્યો હતો. આ નવા વેરિઅન્ટની સ્થળાંતર - ક્ષમતા અગાઉના આલ્ફા વેરિઅન્ટ (B.1.107) કરતાં 50 ટકા વધુ છે.
ઇન્સાકોગ 10 રાષ્ટ્રીય પ્રયોગશાળાઓનું જૂથ છે કે જેની રચના કેન્દ્રના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ગયા વર્ષે કરી છે.
એ જિનોમિક સિક્વન્સિંગ કરે છે. સરક્યુલેટિંગ કોવિડ-19 વાયરસનું વિશ્લેષણ કરે છે, તેમજ એપિડેમિયો લોજિકલ ટ્રેન્ડ અને જિનોમિક વેરિઅન્ટ વચ્ચેનો સંબંધ નક્કી કરે છે.
વિવિધ વાયરસના જિનોમિક વેરિઅન્ટ એક કુદરતી ઘટના છે અને લગભગ બધા દેશોમાં મળી આવે છે.
હૂ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન - વિશ્વ આરોગ્ય સંસ્થા) એ સોમવારે જણાવ્યું કે કોવિડ-19 વેરિઅન્ટ હવે ગ્રીક મૂળાક્ષરથી ઓળખાશે કે જેથી તેઓ પહેલાવહેલા જ્યાં મળી આવ્યા એ રાષ્ટ્રોની નિંદા થાય નહિ. આથી, પહેલવહેલા ભારતમાં જણાયેલો કોવિડ વેરિઅન્ટ B.1.617, વંશજોમાં વિભાજિત થયો છે કે જેમાંનો B.1.617.1 વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ કાપ્પા બને છે.
B.1.617.2 વેરિઅન્ટ ડેલ્ટા કહેવાય છે.
નવી સિસ્ટમ અનુસાર, વિવિધ વેરિઅન્ટ નીચેના નામે ઓળખાશે, અત્યાર સુધી બ્રિટિશ વેરિઅન્ટના નામે ઓળખાતો B.1.6.1.7 હવે આલ્ફા તરીકે ઓળખાશે, સૈા પ્રથમ દક્ષિણ આફ્રિકામાં દેખાયેલો B.1.351 વેરિઅન્ટ હવે બિટાના નામે ઓળખાશે, જ્યારે બ્રાઝિલનો વેરિઅન્ટ P.1 ગામાના નામે ઓળખાશે.
ડેલ્ટા વેરિઅન્ટ B.1.617.2 ઝડપભેર સ્થળાંતરિત થઇ શકે છે. એનો અર્થ એ કે તે લોકોમાં સહેલાઇથી ફેલાઇ શકે છે, એમ કોવિડ-19 વિષેના 'હૂ'ના ટેકનિક્લ અગ્રણી મારિઆ વેન કેર્કહોવે પત્રકારોને કહ્યું.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SVSewg
via IFTTT
ટિપ્પણીઓ નથી: